ખેડા : પિતાના નકશે કદમ પર પુત્ર, જુઓ કેવી રીતે પ્રકાશ્યુ પોત..!

New Update
ખેડા : પિતાના નકશે કદમ પર પુત્ર, જુઓ કેવી રીતે પ્રકાશ્યુ પોત..!

ખેડા જિલ્લામાં નડિયાદના કુખ્યાત બુટલેગર માસુમ મહિડાએ પોતાની જ તબીબ પુત્રવધુના દાગીના ગીરવે મુકી પુત્રને હિન્દુ યુવતી સાથે લંડન ભગાડી મુક્યો હતો, ત્યારે સમગ્ર મામલે પુત્રવધુએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે બુટલેગર માસુમ સહિત તેના પરિવાર વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, નડિયાદના કુખ્યાત બુટલેગર માસુમ મહિડાએ તેના પુત્રને ઢાલ બનાવી લવજેહાદનો ખેલ ખેલ્યો છે. માસુમના પુત્ર અસીમના નિકાહ વર્ષ 2019ની તા. 14મી ડિસેમ્બરના રોજ ભરૂચની તબીબ યુવતી સાથે કરવામાં આવ્યા હતા, ત્યારે જે તે સમયે યુવતીના પરિવાર પાસેથી દહેજની માંગણી કરવામાં આવી હતી. યુવતીના પરિવાર દ્વારા 31 તોલા સોનું અને ટુકડે ટુકડે 5 લાખ રૂપિયા તેમજ કરિયાવરમાં તમામ ઘરવખરીનો સામાન આપવામાં આવ્યો હતો. છેલ્લા થોડા મહિનાથી અસીમના વ્યવહારમાં ફેરફાર આવતાં પત્નીને શંકા ગઇ હતી. જેની તપાસ કરતાં અસીમ નડિયાદ શહેરની જ એક હિન્દુ યુવતી સાથે પ્રેમફાગ ખેલી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ મામલે અસીમને અને ત્યાર બાદ સસરા અને સાસુને વાત કરતાં તેઓએ પુત્રવધુને ધમકાવીને ચૂપ કરી દીધી હતી. ઇન્ટર્નશીપ ચાલુ હોવાથી પરિણીતા પોતાના પિયર ગઇ હતી. આ સમય દરમ્યાન માસુમે પુત્રવધુની જાણ બહાર તેના 31 તોલા દાગીના ગીરવે મુકી, પુત્ર અસીમને નડિયાદની હિન્દુ યુવતી સાથે લંડન ભગાડી દીધો હતો. ફ્લાઇટ ઉપડી ગયાં બાદ પુત્રવધુને ફોનથી માસુમે અસીમ લંડન જતો રહ્યો હોવાની જાણ કરતાં તે ઉશ્કેરાઇ હતી.

આ બાબતે બન્ને પરિવાર વચ્ચે ઉગ્ર વાતચીત થયાં બાદ માસુમે મામલો થાળે પાડવા માટે અસીમને પરત બોલાવી લેવાની હૈયાધારણા આપી હતી. જોકે, પોતાની જાણ બહાર અસીમ નડિયાદની હિન્દુ યુવતીને લઇને લંડન ભાગી ગયો હોવાથી અંતે પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતથી આઘાત પામેલી અસીમની પત્નીએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પતિ અસીમ મહિડા, સસરા માસુમ મહિડા, સાસુ શાયરા મહિડા, કાકા સસરા અજીત મહિડા, કાકી સાસુ શાયરા મહિડા તથા દેવર સાહિલ અજીત મહિડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નડિયાદના કૂખ્યાત માસુમ મહિડાએ પાંચેક વરસ પહેલા જ નડિયાદની જ અને તબીબ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી તેની સાથે નિકાહ પણ કરી લીધાં હતાં. આ સમયે નડિયાદ શહેરમાં ભારે વિરોધ ઊઠ્યો હતો. બુટલેગર માસુમ મહિડાને પકડી જેલ હવાલે કરવા રેલી, બંધ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આખરે તપાસ એટીએસને સોંપાતા એટીએસે જ માસુમ મહિડાને પકડી પાડ્યો હતો, ત્યારે હવે માસુમ મહિડાનો પુત્ર અસીમ અભ્યાસ અર્થે લંડન ગયો હતો. જ્યાં તેનો સંપર્ક નડિયાદની જ હિન્દુ યુવતી સાથે થતાં પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન બાદ પણ અસીમ હિન્દુ યુવતી સાથે પોતાના સંબંધો કાયમ રાખ્યો હતો. ઉપરાંત નિકાહ બાદ પોતાના હિન્દુ યુવતી સાથેના સંબંધોને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શિક્ષિત યુવતી પતિની ચાલને ઓળખી ગઇ હતી. જેથી પત્નીને દાબમાં રાખવા અસીમે તેને વાંધાજનક ફોટા તેમજ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. જોકે આ મામલો લવજેહાદનો છે કે, કેમ તે હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.