કચ્છ : જખણીયા ગામે મોભીએ જ કરી નાખી પરિવારના 4 સભ્યોની હત્યા, કારણ જાણી આપ પણ ચોંકી ઊઠશો..!

કચ્છ : જખણીયા ગામે મોભીએ જ કરી નાખી પરિવારના 4 સભ્યોની હત્યા, કારણ જાણી આપ પણ ચોંકી ઊઠશો..!
New Update

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના જખણીયા ગામમાં પરિવારના મોભીએ પોતાની 3 દીકરી અને તેની પત્નીની ધારદાર હથિયાર વડે ઘાતકી હત્યા કરી નાખી હતી. પરિવારના 4 સભ્યોની હત્યા બાદ હત્યારાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનો આવી જતા તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. સામુહિક હત્યાની ઘટનાની જાણ થતાં પશ્ચિમ કચ્છ એસપી અને માંડવી પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાના જખણીયા ગામમાં રહી ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શિવજી પંચાણ સંઘારે તેમનો હર્યોભર્યો પરિવાર વિખેરી નાખ્યો છે. શિવજી સંઘારે પોતાની પત્ની અને 3 પુત્રીની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ પશ્ચિમ કચ્છ એસપી અને માંડવી પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં નાની અને વચેટ દીકરીઓને થાઈ રોગની બીમારી હોવાથી શિવજી સંઘારેને દવાનો ખર્ચ અને ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આર્થિક સંકડામણના ભારથી મુક્ત થવા માટે પરિવારના સભ્યોની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોતાની આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ જતાં શિવજી સંઘાર પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ ત્યાથી નાસી છૂટ્યો હતો. જેમાં 40 વર્ષીય ભાવના સંઘાર, 10 વર્ષીય ઘૃપ્તિ સંઘાર, 8 વર્ષીય કિંજલ સંઘાર અને 2 વર્ષીય ધર્મિષ્ઠા સંઘારને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

#murder #Kutch Police #Kutch Gujarat #Connect Gujarat News #family murder #kutch murder
Here are a few more articles:
Read the Next Article