કરછ: ભુજમાં 1500 માછલીઓનું કેમ કરવું પડ્યું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ વિડીયો

New Update
કરછ: ભુજમાં 1500 માછલીઓનું કેમ કરવું પડ્યું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ વિડીયો

કરછના ભુજ ખાતે આવેલ તળાવમાં પાણી ઓછું થઈ જતાં સેંકડો માછલીઓ મોતને ભેટે એવી પરિસ્થિતી સર્જાય હતી ત્યારે નગર સેવા સદન દ્વારા માછલીઓને બચાવવા રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ભુજ શહેરમાં ઉમેદનગર જતા માર્ગે આવેલ છતરડીના તળાવમાં પાણી ઓછું થઈ જતા માછલીઓ મોતને ભેટે તેવી સ્થિતિ સર્જાઈ છે. હજારો માછલીઓનું મૃત્યુ થાય તો રોગચાળો ફેલાય તેવી દહેશત પણ વર્તાય રહી છે. જોકે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરને આ વાતની જાણ થતાં તાત્કાલિક પગલાં લઈ માછલીઓને બચાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા અહીં પાણી ભરવામાં આવ્યું હતુ તેમજ માછલીઓને હમીરસર તળાવમાં સ્થળાંતરિત કરવામાં આવી રહી છે અત્યારસુધી 1 હજારથી 1500 માછલીઓને હમીરસર તળાવમાં સ્થળાંતરિત કરવામાં આવી છે હજી પણ આ કામગીરી ચાલુ રહેશે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.
Latest Stories