કચ્છ: જગવિખ્યાત કેસર કેરીને વાવાઝોડાના કારણે ભારે નુકશાન, જુઓ દ્રશ્યો

New Update
કચ્છ: જગવિખ્યાત કેસર કેરીને વાવાઝોડાના કારણે ભારે નુકશાન, જુઓ દ્રશ્યો

તાઉતે વાવાઝોડાની અસરના કારણે સમગ્ર કચ્છમાં ભારે પવન ફૂંકાયો હતો જેના પગલે કચ્છના અમુક ગામોમાં બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યુ છે ખાસ તો કેસર કેરીના પાકને 30 થી 50 ટકા નુકશાની થઈ છે.

કચ્છની કેસર કેરી જગવિખ્યાત છે જોકે વાવાઝોડાની અસર તળે કેરીનો પાક ખરી પડતા જિલ્લામાં આ વખતે કેરીની અછત જોવા મળશે. ગીર અને તલાલાની કેરીને તો વ્યાપક નુકશાની થઈ છે આ તરફ કચ્છમાં પણ કેસર કેરીના પાકને નુકશાની થઈ છે ભુજ તાલુકાનક કોટડા ચકાર, અંજારમાં ખેડોઈ, માંડવી તાલુકામાં ગઢશીશા સહિતના વિસ્તારોમાં ભારે પવનને કારણે કચ્છી કેરીનો પાક ખરી પડ્યો હતો. કાચી કેરીઓ ખરી પડતા બજારમાં ભાવ લેવા ખેડૂતને મુશ્કેલ બન્યા છે કેરી ઉપરાંત જાંબુ, ખારેક, દાડમ સહિતના બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે.

કેસર કેરીનો પાક કચ્છમાં સારો એવો થયો હતો ત્યારે એક મહિનાની અંદર કેરીનું વેચાણ અને પાક વધારે ઉતર્યો હોત તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. પરંતુ વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફૂંકાયો હોવાથી કેરીને નુકસાન પહોંચ્યું હતું વરસાદના છાંટા પડે તો પણ કેરીને નુકસાન પહોંચે છે અને જીવાત થઈ જાય છે જેથી નુકસાન વેઠવાનો વારો આવતા આ વર્ષે પણ ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી થઈ છે.

Read the Next Article

ચૂંટણી અગાઉ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને આપી મોટી રાહત, બિહારમાં 125 યુનિટ વીજળી મફત મળશે

ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે.

New Update
ggggguj

ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે હવે 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. 

વાસ્તવમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના સત્તાવાર x હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે "અમે શરૂઆતથી જ દરેકને સસ્તા દરે વીજળી પૂરી પાડી રહ્યા છીએ. હવે અમે નિર્ણય લીધો છે કે 1 ઓગસ્ટ, 2025થી એટલે કે જૂલાઈના બિલથી રાજ્યના તમામ વીજ ગ્રાહકોને 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. આનાથી રાજ્યના કુલ 1 કરોડ 67 લાખ પરિવારોને ફાયદો થશે." બિહારમાં દરેક જગ્યાએ સોલાર પેનલ લગાવવામાં આવશે

CM નીતિશ કુમારે આગળ લખ્યું હતું કે, "અમે એ પણ નક્કી કર્યું છે કે આગામી ત્રણ વર્ષમાં આ બધા ઘરેલુ ગ્રાહકોની સંમતિ લઈને તેમના ઘરની છત પર અથવા નજીકના જાહેર સ્થળે સૌર ઉર્જા પ્લાન્ટ લગાવીને લાભ આપવામાં આવશે.