મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશનમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી. દાદર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે બની રહેલા મેટ્રો સ્ટેશનના પરિસરમાં એક શેડમાં આગ ફાટી નીકળી હતી. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સ્ટેશન અંડરગ્રાઉન્ડ મેટ્રોનો ભાગ છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.