નર્મદા : સાગબારા ખાતેની આંતરરાજય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અને સ્કેનિંગ

New Update
નર્મદા : સાગબારા ખાતેની આંતરરાજય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અને સ્કેનિંગ

નર્મદા જિલ્લામાં આવેલ મહારાષ્ટ્રને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈને આરોગ્ય વિભાગ દ્વારા 72 કલાક પહેલા આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કરવેલા નેગેટિવ વ્યક્તિઓને અપાય રહ્યો છે પ્રવેશ.

વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને હાલની પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા નર્મદા જિલ્લા પોલીસ અને આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાની સરહદે સાગબારા તાલુકાના ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકીંગ અને સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે. અને ૭૨ કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને ટેસ્ટમાં નેગેટીવ આવેલ હોય તેવી વ્યક્તિઓને જ ધનશેરા ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશ આપવા નો ચૂસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આ અંગે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નંદુરબારના કલેક્ટર અને ડીએસપીને પણ જાણકારી અપાઇ છે. નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમારે જણાવ્યું હતું કે, સાગબારા તાલુકાની ધનશેરા ખાતે આંતરરાજ્ય ચેકપોસ્ટ આવેલી છે જ્યાં રાજ્ય સરકારની સૂચના મુજબ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકીંગ અને સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ૭૨ કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને ટેસ્ટમાં નેગેટીવ આવેલ હોય તેવી વ્યક્તિઓને પ્રવેશ અપાશે.

Read the Next Article

BCCI એ એક મહત્વપૂર્ણ લીધો નિર્ણય, સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

New Update
scss

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

BCCI એ હવે પોતાની સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમો ખાસ કરીને લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નિયમથી ભારતીય ક્રિકેટમાં એક મોટો બદલાવ આવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી 2025-26 ની સ્થાનિક ક્રિકેટ સિઝનથી રેડ-બોલ મેચોમાં નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ICC ના કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ જેવો જ છે. હવે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેલાડી માટે ફક્ત લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટની જ મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંત અને ક્રિસ વોક્સના કેસ પછી લેવામાં આવ્યો છે. આ નિયમ હાલમાં માત્ર રેડ-બોલ અને અંડર-19 CK નાયડુ ટ્રોફીમાં લાગુ થશે, જ્યારે વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં નહીં.