નર્મદા: કેવડિયા દેશની ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનશે; બેટરી આધારિત વાહનો જ દોડશે

New Update
નર્મદા: કેવડિયા દેશની ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનશે; બેટરી આધારિત વાહનો જ દોડશે

વિશ્વ પર્યાવરણ દિવસે દેશને સંબોધતા વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ ભવિષ્યની તૈયારીઓ રૂપે ઇન્ડિયા ગ્રીન ફ્યુચર વિષય ઉપર જણાવ્યું હતું કે, સ્ટેચ્યું ઓફ યુનિટી ખુબસુરત કેવડિયા શહેર ભારતની ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનશે. કેવડીયામાં બેટરી આધારિત બસો, કાર, થ્રિ વ્હીલર અને ટુ વ્હીલર સહિતના વાહનો દોડશે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊચી પ્રતિમાનું સ્થળ, ગુજરાતનું ખુબસુરત કેવડિયા ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વેહિકલ સિટી તરીકે સ્થાપિત થશે જે માટે કામગીરી ચાલી રહી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્રીન ફ્યુચર ઉપર વાત કરતા કહ્યું હતું.

પ્રવાસન ક્ષેત્ર તરીકે કેવડિયા વિકસી રહ્યું છે જ્યાં રોજના સરેરાશ 10,000 થી વધુ લોકો મુલાકાત લે છે. દેશ અને દુનિયામાં ઝડપથી પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા કેવડિયા SOUએ વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેકટ છે ત્યારે ભવિષ્યમાં ભારતની ઝીરો પ્રદુષણ ઉતસર્જિત કરતું શહેર કેવડિયા બની રહેશે તેવો ખુદ સંદેશો પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રીએ આપ્યો છે.

ઇન્ડિયા ગ્રીન ફ્યુચર અંગે વડા પ્રધાને તેમના લાંબાગાળાના વિઝન અંતર્ગત ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે શૂન્ય ઉત્સર્જન મેળવવા ઉપર ભાર મુક્યો હતો. ભવિષ્યમાં બેટરી સંચાલિત બસો, ત્રણ અને ફોર વ્હીલર્સ, ટુ વ્હીલર્સ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરાં કરીને વિશ્વની વિરાટ પ્રતિમા SOUના મુકામ કેવડિયાને ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનાવવાના પ્રોજેક્ટ વિશે વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે, આ માટે કામગીરી ચાલી રહી છે અને ભવિષ્યમાં કેવડિયા ઇલેક્ટ્રિક સિટી બનતા માત્ર ઇલેક્ટ્રિક વાહનો જ ફરશે.

Read the Next Article

અંકલેશ્વર: GIDC પોલીસે સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીની કર્ણાટકથી કરી ધરપકડ, સગીરાને પણ મુક્ત કરાવાય

અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાંથી એક સગીરાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી ભગાડી જવામાં આવી હતી.આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પોકસો

New Update
gujarat
અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાંથી એક સગીરાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી ભગાડી જવામાં આવી હતી.આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે પોકસો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા CCTV ફુટેજ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સથી આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી સગીરાને ભગાડી જનાર આરોપી તથા સગીરાને કર્ણાટક ખાતેથી શોધી કાઢી તેના પરિવારને સોંપવામાં આવી હતી જ્યારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.