નર્મદા : ગુજરાત અને સિકિકમ વચ્ચેની આ સામ્યતાથી તમે અજાણ હશો

New Update
નર્મદા : ગુજરાત અને સિકિકમ વચ્ચેની આ સામ્યતાથી તમે અજાણ હશો

ગુજરાત અને સિકિકમ બંને પ્રવાસન પર નિર્ભર છે તેથી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો નિર્ધાર કર્યો હતો તેમ સિકિકમના મુખ્યમંત્રી પ્રેમસિંગ તમંગે જણાવયું હતું.



નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. દેશ તથા વિદેશના અનેક મહાનુભવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયાં છે ત્યારે આ યાદીમાં હવે સિકિકમના મુખ્યમંત્રી પ્રેમસિંગ તમંગનું નામ પણ ઉમેરાયું છે. પ્રેમસિંગ તમંગ દાંડીયાત્રાનો કાર્યક્રમ પતાવીને કેવડીયા ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમની સાથે 120 સભ્યો અને વિદ્યાર્થીઓનું ડેલીગેશન પણ કેવડીયા ખાતે આવ્યું હતું. ગુજરાત સરકાર તરફથી તેમને રાજયના મહેમાનનું બિરૂદ આપી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અદભુત જગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક સારી કામગીરી છે. આ સાચા અર્થમાં એકતાનું પ્રતિક છે. અમારૂ સિકિકમ પણ પ્રવાસન પર નિર્ભર છે જયારે ગુજરાત પણ પ્રવાસન પર નિર્ભર છે. બંને રાજયો વચ્ચે આ એક સારી સામ્યતા છે.

Read the Next Article

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર, દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આપી ચેતવણી

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં

New Update
yellq

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.                                                                                 

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે (5 જુલાઈ)  છૂટછવાયો  વરસાદ પડી શકે છે. IMD અનુસાર, લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.  રાજસ્થાન ગુજરાત સહિત  ઉત્તરાખંડમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય છે. રુદ્રપ્રયાગ અને બાગેશ્વરમાં ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. બાગેશ્વરમાં બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભૂસ્ખલન અને નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કેદારનાથ યાત્રા પણ હાલ માટે બંધ કરવામાં આવી છે.                   

યુપી અને બિહારમાં હળવાથી મધ્યમ વરસાદ

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ અને તેરાઈ પ્રદેશોમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે પશ્ચિમી જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે. બિહારના ઘણા શહેરોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં સતત મુશળધાર વરસાદ

રાજસ્થાનના કોટા, અજમેર અને પોખરણમાં 128  મીમી સુધી વરસાદ નોંધાયો છે. ઘણા બંધના દરવાજા ખોલવા પડ્યા છે. જોધપુર અને અજમેરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.