નવસારી : હોસ્પિટલો અને દુકાનોમાં remdesivir ઇન્જેકશન નથી પણ ભાજપ પાસે છે

New Update
નવસારી : હોસ્પિટલો અને દુકાનોમાં remdesivir ઇન્જેકશન નથી પણ ભાજપ પાસે છે

રાજયભરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતાં remdesivir ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે અને દર્દીના સ્વજનો ઇન્જેકશન મેળવવા માટે દુકાને- દુકાને ભટકી રહયાં છે તેવામાં ભાજપે પોતાના કાર્યાલય પરથી વિનામુલ્યે ઇન્જેકશન આપવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધાં છે.

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની ખતરનાક લહેર ચાલી રહી છે. કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતાં remdesivir ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે તેવામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપ remdesivirના 5 હજાર જેટલા ઇન્જેકશનનું વિનામુલ્યે વિતરણ કરશે તેવી જાહેરાત કરી છે. એક તરફ રાજય કોરોનાના અજગરી ભરડામાં છે તેવામાં ભાજપ પ્રમુખની જાહેરાતથી આશ્ચર્ય થઇ રહયું છે.

જયારે બજારમાં ઇન્જેકશનની અછત છે ત્યારે ભાજપ પાસે ઇન્જેકશન કઇ રીતે આવ્યાં તેવો સવાલ દરેક રાજયવાસીના મનમાં ઉઠી રહયો છે. નવસારીમાં કોરોનાના વધતા કેસોની સાથે જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે, ત્યારે જિલ્લા ભાજપ દ્વારા બિલ્ડર ભરત સુખડીયાના આર્થિક સહયોગથી જિલ્લામાં જરૂરિયાતમંદ કોરોના દર્દીઓને ભાજપ કાર્યાલય ખાતેથી નિઃશુલ્ક 1000 રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની તૈયારી કરી છે. આજથી જરૂરીયાતમંદોના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તેમને ઇન્જેકશન આપવામાં આવશે.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.