દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે નીટની પરીક્ષા પણ સ્થગિત, નવી તારીખ કરાશે જાહેર

New Update
દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે નીટની પરીક્ષા પણ સ્થગિત, નવી તારીખ કરાશે જાહેર

દેશભરમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે 18 એપ્રિલે યોજાનારી નીટ પરીક્ષાને સ્થિગત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને ગુરુવારે સાંજે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના સંક્રમણની સ્થિતિ જોતા આ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. આ પરીક્ષામાં આશરે 1.7 લાખ વિદ્યાર્થી સામેલ થવાના હતા.

દેશભરમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને ત્યારે આ પરીક્ષા ઓફલાઈન યોજાવાની હતી. ઘણા લોકો વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતિત હતા. જેને જોતા કેંદ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.