Connect Gujarat
અન્ય 

51 ફૂટ ઊંચા ભોલેનાથ અને એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન, બાંગેશ્વર મહાદેવનો છે અનોખો મહિમા

51 ફૂટ ઊંચા ભોલેનાથ અને એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન, બાંગેશ્વર મહાદેવનો છે અનોખો મહિમા
X

અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસમાં વિવિધ મંદિરોમાં જલાભિષેક કરીને બાબા ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન શિવ ભક્તો બાર જ્યોતિર્લિંગના દર્શન કરે છે. તેઓ જ્યોતિર્લિંગના દર્શન કરીને, ત્યાં જળ ચઢાવી અને પૂજા કરીને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે.

જો કે, દરેક વ્યક્તિ માટે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવી શક્ય નથી. આર્થિક સ્થિતિ અને સમયના અભાવના કારણે ભક્તો તમામ જ્યોતિર્લિંગની મુલાકાત લઈ શકતા નથી. એટલા માટે જેઓ દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી શકતા નથી. તેઓ પશ્ચિમ બંગાળના હાવડામાં એક જ જગ્યાએ એક જ મંદિરમાં બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે છે. ઉત્તર હાવડામાં બાંગેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં 12 જ્યોતિર્લિંગનું મંદિર બનાવવામાં આવ્યું છે.

જોકે મંદિર ઘણું જૂનું છે. વર્ષ 2015માં દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ મંદિર પરિસરમાં 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં ભગવાન ભોલેનાથની 51 ફૂટ ઊંચી મૂર્તિ છે અને એક જ મંદિર પરિસરમાં તમામ બાર જ્યોતિર્લિંગના એકસાથે દર્શન કરી શકાય છે. શ્રાવણ માસની શરૂઆતથી જ આ મંદિરમાં ભક્તોનો ધસારો રહે છે.

સોમવારે દૂર-દૂરથી ભક્તો આવે છે. તેઓ ભગવાન શિવનો જલાભિષેક કરે છે. સાથે જ વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. દેશમાં કુલ 12 જ્યોતિર્લિંગ છે. બાંગેશ્વર મહાદેવ મંદિરમાં તમામ જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિ છે. બંગેશ્વર મંદિરની સાથે સાથે બંગાળના તારકેશ્વર, ભૂતનાથ, ઘંટેશ્વરના મંટો મંદિરોમાં શિવલિંગને જળ ચઢાવવા માટે દરરોજ લાંબી કતારો લાગી રહી છે. લોકો ખૂબ જ ભક્તિભાવ સાથે મંદિરમાં આવે છે અને ભગવાનની પૂજા-અર્ચના કરે છે.

Next Story