પંચમહાલ: પાવાગઢના બાવા બજારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહીથી સ્થાનિકોમાં રોષ, વૈકલ્પિક જગ્યા ફાળવવા લોકમાંગ

New Update
પંચમહાલ: પાવાગઢના બાવા બજારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહીથી સ્થાનિકોમાં રોષ, વૈકલ્પિક જગ્યા ફાળવવા લોકમાંગ

યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આવેલ દબાણો વૈકલ્પિક જગ્યા ફાળવ્યા વગર દૂર કરવામાં આવતા પાંચ પરિવારો નોંધારો બન્યા હતા. ટૂંકા ગાળાની નોટિસો આપ્યા બાદ તાત્કાલિક અસરથી યજ્ઞશાળા બનાવવાના નામે દબાણો દૂર કરવામાં આવતાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠયો હતો. તંત્ર દ્વારા ૨૦૧૫માં ૬૧મી નોટિસ ૪૦૦ જેટલા લોકોને આપવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા માત્ર પાંચ લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. બાવા બજારમાં છેલ્લા પચાસ વર્ષથી ભિક્ષા માંગી ગુજરાન ચલાવતા પાંચ પરિવારોના મકાન તૂટતાં નોંધારા બન્યા હતા. જે દબાણ દૂર કરવામાં આવ્યા છે ત્યાં અત્યાર સુધીમાં કોઇ અનિચ્છનીય ઘટના બનવા પામી નથી તેમજ નડતરરૂપ હોવાના નામે દબાણો દૂર કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ જગ્યા યજ્ઞશાળા બનાવવા માટે ઉપયોગમાં લેવાની હોય તેના કારણે દબાણો તોડવામાં આવ્યા છે. પાવાગઢ ડુંગર ઉપર અસંખ્ય દબાણો કરવામાં આવેલા છે અને માત્ર પાંચ લોકો સામે કાર્યવાહી કરતા ભોગ બનનાર પરિવારોની આજીવિકા છીનવતાં રોષે ભરાયા હતા. તાત્કાલિક આ પાંચ પરિવારોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. હાલમાં આ પરિવારો ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.

Latest Stories