કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતમાં જનસભા યોજાય હતી.

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે દેશભરમાં 9 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર સભાઓ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેના ભાગરૂપે પાટણના સિદ્ધપુર શહેરના દેથળી ચાર રસ્તા સ્થિત ગોવર્ધન પાર્ક ગ્રાઉન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન સંપર્કથી જન સમર્થન સુધીના નેજા હેઠળ આયોજિત જનસભામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ દસરથજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.