રામ નવમીના પવિત્ર પર્વ ઉપર PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

New Update
રામ નવમીના પવિત્ર પર્વ ઉપર PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

આજે આખા દેશમાં રામ નવમીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ રામનવમીના અવસર પર દેશવાસીઓને શુભકામના આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'રામનવમીની મંગળકામનાઓ. દેશવાસીઓ પર ભગવાન શ્રીરામની અસીમ અનુકંપા સદાય બની રહે. જય શ્રીરામ.' આ સાથે તેમણે પોતાના આગલા ટ્વિટમાં લખ્યુ છે કે આજે રામનવમી છે અને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો આપણા સૌને એ જ સંદેશ છે કે મર્યાદાઓનુ પાલન કરીએ. કોરોનાના આ સંકટ કાળમાં કોરોનાથી બચવાના જે પણ ઉપાય છે, કૃપા કરીને તેનુ પાલન કરો. 'દવાઈ પણ, કડાઈ પણ'ના મંત્રને યાદ રાખો.

વળી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કર્યુ છે કે રામ નવમીના શુભ અવસર પર બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. મર્યાદા પુરુષોત્તમ રામના જન્મદિવસ પર મનાવાતો આ પર્વ, આપણને જીવનમાં મર્યાદાનુ પાલન કરવાની પ્રેરણા આપે છે. આવો, આપણે સૌ એ સંકલ્પ કરીએ કે કોવિડ-19 મહામારીને પણ આપણે સત્યનિષ્ઠા તેમજ સંયમથી પરાજિત કરીશુ.

ચૈત્ર મહિનાની નવમીને રામ નવમી કહેવામાં આવે છે કારણકે આ દિવસે અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રી રામનો જન્મ થયો હતો. માટે ભક્તો આ નવમીને શ્રી રામના જન્મોત્સવ રૂપે મનાવે છે.

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.