ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઈથી 5 મેચની T20 સીરીઝ રમાશે

સ્પોર્ટ્સ | સમાચાર : T20 ક્રિકેટ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પાંચ દિવસ પછી ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે,ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે.

New Update
T20 સીરીઝ

T20 ક્રિકેટ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પાંચ દિવસ પછી ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે. જોકે, આપને જણાવી દઈએ કે, આ તે ટીમ નહીં હોય જેણે વર્લ્ડ કપ જીત્યું હોય. ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે.

ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વેમાં પાંચ મેચોની ટી-20 શ્રેણી રમવાની છે જે 6 જુલાઈથી શરૂ થશે. આ ટીમનો કેપ્ટન શુભમન ગિલ ભારતીય કેપ્ટન હશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ T20 મેચ 6 જુલાઈએ રમાશે. બીજી T20 મેચ 7 જુલાઈએ અને ત્રીજી T20 મેચ 10 જુલાઈએ તો ચોથી T20 મેચ 13 જુલાઈએ અને પાંચમી અને અંતિમ T20 મેચ 14 જુલાઈએ રમાશે. 

Latest Stories