Connect Gujarat
સ્પોર્ટ્સ

25 જાન્યુઆરીથી ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે

25 જાન્યુઆરીથી ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે
X

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી રમાશે. પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડની ટીમ ઈન્ડિયા A સામે વોર્મ અપ મેચ રમશે. ભારત A અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 જાન્યુઆરીથી વોર્મ-અપ મેચ રમાશે. જો કે આ વોર્મ અપ મેચ માટે ભારત-A ટીમની જાહેરાત કરવામાં આવી છે. અભિમન્યુ ઇશ્વરન આ ટીમનું નેતૃત્વ કરશે. આ સિવાય સરફરાઝ ખાન જેવા યુવા ખેલાડીઓને પોતાને સાબિત કરવાની મોટી તક મળશે. આ ઉપરાંત ઘણા યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.

ભારત એ ટીમ

અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), સાઇ સુદર્શન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, પ્રદોષ રંજન પોલ, કેએસ ભરત (વિકેટકીપર), માનવ સુથાર, પુલકિત નારંગ, નવદીપ સૈની, તુષાર દેશપાંડે, વિદ્વથ કાવેરપ્પા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આકાશ દીપ

Next Story