Connect Gujarat
સ્પોર્ટ્સ

શ્રીલંકા સામેની વનડેમાં કોહલીએ 'વિરાટ' ઇનિંગ ફટકારતા અનુષ્કા શર્માએ આપ્યું આ પ્રકારનું રિએક્શન

શ્રીલંકા સામેની વનડેમાં કોહલીએ વિરાટ ઇનિંગ ફટકારતા અનુષ્કા શર્માએ આપ્યું આ પ્રકારનું રિએક્શન
X

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પણ અનુષ્કા શર્મા તેના સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને એ કારણે અનુષ્કાનું નામ અવારનવાર લાઈમલાઈટનો હિસ્સો બની જાય છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કહોલી જબરજસ્ત ફોર્મમાં છે અને શ્રીલંકા સામેની રવિવારે ત્રીજી વનડે મેચમાં ફરી એકવાર તોફાની બેટિંગ કરી હતી.


વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં અણનમ 166 રન બનાવ્યા હતા. રવિવારે શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાના રન મશીન વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ જોઈને પત્ની અનુષ્કા શર્માએ પણ થોડા વખાણ કર્યા હતા. ગઈ કાલની મેચમાં ટીમ ઈન્ડિયાએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલીની શાનદાર ઈનિંગના આધારે શ્રીલંકાની સામે 50 ઓવરમાં 391 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 73 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા 317 રનના અંતરે જીતી ગઈ હતી. જણાવી દઈએ કે આ સાથે જ વિરાટ કોહલીને તેની શાનદાર રમત માટે મેન ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીની આ શાનદાર રમતના વખાણ કર્યા હતા.

Next Story