ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, શ્રીલંકા સામેની T20 સિરીઝ પહેલા આ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત

સ્પોર્ટ્સ, 27 જુલાઈથી શરૂ થઈ રહેલી શ્રીલંકા સામેની ટી-20સિરીઝ પહેલા ગંભીર માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. એશિયા કપમાં પોતાના બોલથી તબાહી મચાવનાર મોહમ્મદ સિરાજ ઈજાગ્રસ્ત

ટીમ ઇન્ડિયા
New Update

27 જુલાઈથી શરૂ થઈ રહેલી શ્રીલંકા સામેની ટી-20સિરીઝ પહેલા ગંભીર માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. એશિયા કપમાં પોતાના બોલથી તબાહી મચાવનાર મોહમ્મદ સિરાજ ઈજાગ્રસ્ત છે.મોહમ્મદ સિરાજ T20 વર્લ્ડ કપ 2024નો ભાગ હતો.

અમેરિકામાં યોજાનારી મેચ દરમિયાન તેણે કેટલીક મેચ રમી હતી જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પહેલા તેણે વર્લ્ડ કપ અને એશિયા કપમાં શાનદાર બોલિંગ કરી હતી. હવે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં તે શ્રીલંકામાં ભારતીય પેસ આક્રમણની આગેવાની કરવા જઈ રહ્યો હતો. જો કે, હવે આ શક્ય બનશે નહીં, કારણ કે RevSportzના રિપોર્ટ અનુસાર, સિરાજ પ્રેક્ટિસ સેશન દરમિયાન મેડિકલ ટ્રીટમેન્ટ લેતો જોવા મળ્યો હતો. પગમાં બોલ વાગવાથી તે ઈજાગ્રસ્ત થયો હતો અને 27મી જુલાઈના રોજ યોજાનારી શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાંથી બહાર થઈ શકે છે

#ટી-20સિરીઝ
Here are a few more articles:
Read the Next Article