BCCIએ ભારતીય ટીમને લઈને કરી મોટી જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ટીમને લઈને મોટી જાહેરાત કરી છે. જય શાહે કહ્યું છે કે હવે ભારતીય ટીમને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા આપવામાં આવશે

New Update
BCCI

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે અને બીજી વખત ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 7 રનથી જીત મેળવી હતી. આ જીત બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ટીમને લઈને મોટી જાહેરાત કરી છે. જય શાહે કહ્યું છે કે હવે ભારતીય ટીમને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા આપવામાં આવશે.

BCCI સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કહ્યું કે  ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરીને ખુશ છે.

તેમણે વધુમાં કહ્યું કે ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, દૃઢ નિશ્ચય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું છે. આ શ્રેષ્ઠ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.  

Latest Stories