પેરિસ ઓલિમ્પિક્સ 2024 24મી જુલાઈથી શરૂ થઈ રહી છે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે. કે BCCI ભારતીય ખેલાડીઓની મદદ માટે 8.5 કરોડ રૂપિયા આપશે. બોર્ડ આ રકમ ભારતીય ઓલિમ્પિક સંઘને આપશે. જય શાહે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેશે. જેમાં 70 પુરૂષ અને 47 મહિલા ખેલાડીઓ છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓની પ્રથમ મેચ 25મી જુલાઈના રોજ છે. ભારતીય ખેલાડીઓની મદદ માટે BCCIએ એક મોટું પગલું ભર્યું છે. બોર્ડ ખેલાડીઓ માટે 8.5 કરોડ રૂપિયા આપશે. જય શાહે X પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી. તેણે લખ્યું, મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે BCCI પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમારા એથ્લેટ્સનું સમર્થન કરશે. અમે આ અભિયાન માટે IOAને 8.5 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ.
ભારત વતી સ્ટાર શટલર્સ પીવી સિંધુ, એચએસ પ્રણય, લક્ષ્ય સેન અને અશ્વિની પોનપ્પા પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં ભાગ લેશે. સંદીપ સિંહ, અર્જુન ચીમા શૂટિંગમાં ભાગ લેશે. સુમિત નાગલ, રોહન બોપન્ના અને એન શ્રીરામ બાલાજી ટેનિસમાં ભાગ લેશે. ભારતીય ખેલાડીઓ હોકી, ટેબલ ટેનિસ, શૂટિંગ અને બોક્સિંગ સહિતની વિવિધ રમતોમાં ભાગ લેશે.
. સમાયરા પણ 5 રન બનાવીને વોકઆઉટ થઈ ગઈ હતી. કવિશે અણનમ 40 રન બનાવ્યા હતા. 32 બોલનો સામનો કરીને તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેણે બે વિકેટ પણ લીધી હતી.