Connect Gujarat
સ્પોર્ટ્સ

BCCI 3 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની કરશે જાહેરાત

BCCI 3 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની કરશે જાહેરાત
X

એશિયા કપ 2023ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ મેચ બાદ વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI 3 સપ્ટેમ્બરે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ભારત-પાકિસ્તાન મેચ બાદ કેટલાક ખેલાડીઓની ફિટનેસ પણ જાણી શકાશે.

ઈન્ડિયા ટુડે પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, BCCI 3 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે રમાનાર મેચ વર્લ્ડ કપની દૃષ્ટિએ મહત્વની રહેશે. પાકિસ્તાન એક મજબૂત ટીમ છે. તેની સામે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું પ્રદર્શન મહત્વનું રહેશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આ વખતે અનુભવી ખેલાડીઓની સાથે સાથે કેટલાક યુવા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે.

Next Story