એશિયા કપમાં ભારતની પાકિસ્તાન મુલાકાત અંગે ગૃહ મંત્રાલય નિર્ણય લેશે : ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

એશિયા કપમાં ભારત પાકિસ્તાન ન ગયા બાદ બુધવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી એક પ્રતિક્રિયા આવી હતી,

New Update
એશિયા કપમાં ભારતની પાકિસ્તાન મુલાકાત અંગે ગૃહ મંત્રાલય નિર્ણય લેશે : ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

એશિયા કપમાં પાકિસ્તાન નહીં જવાના નિવેદન બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત નિવેદનોનો સિલસિલો ચાલી રહ્યો છે. હવે આના પર ભારતના ખેલ મંત્રી અનુરાગ ઠાકુરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે, આ અંગેનો નિર્ણય ગૃહ મંત્રાલય લેશે.

એશિયા કપમાં ભારત પાકિસ્તાન ન ગયા બાદ બુધવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી એક પ્રતિક્રિયા આવી હતી, જેમાં 2023માં યોજાનાર ODI વર્લ્ડ કપ અને ICC ઈવેન્ટ્સમાં તેની અસર થવાની વાત કહેવામાં આવી હતી. હવે આ સમગ્ર મામલે ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું છે કે, ભારતની ટીમ એશિયા કપમાં જશે કે, કેમ તે અંગે અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલય લેશે. કારણ કે, સુરક્ષા એક મોટો મુદ્દો છે અને ખેલાડીઓની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય તેણે કહ્યું કે "પાકિસ્તાન સહિત તમામ મોટી ટીમો ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023માં ભાગ લેશે." તેણે કહ્યું કે, "આ BCCIનો મુદ્દો છે, અને તેઓ તેનો જવાબ આપશે.

ભારત એક રમતની મહાસત્તા છે, જ્યાં ઘણા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. આવતા વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ હશે અને વિશ્વભરની તમામ મોટી ટીમો તેમાં ભાગ લેશે. કારણ કે, તમે કોઈપણ રમતમાં ભારતને અવગણી શકો નહીં. ભારતે રમતગમત, ખાસ કરીને ક્રિકેટમાં ઘણું યોગદાન આપ્યું છે. તેથી આવતા વર્ષે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે, અને તે એક ભવ્ય અને ઐતિહાસિક ઘટના હશે. જ્યાં સુધી પાકિસ્તાન જવાની અને ત્યાંની સુરક્ષાની વાત છે, તો ગૃહ મંત્રાલય નિર્ણય લેશે. માત્ર ક્રિકેટની વાત નથી.

પરંતુ ભારત કોઈનું સાંભળવાની સ્થિતિમાં નથી. તેણે આ બધી વાતો ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ઈવેન્ટ દરમિયાન કહી હતી. અગાઉ, પીસીબી તરફથી એક પ્રતિક્રિયા આવી હતી. જેમાં તેણે જાણ કર્યા વિના આવી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે, તેના દૂરગામી પરિણામો આવશે. PCB દ્વારા ગઈકાલે જારી કરવામાં આવેલા નિવેદનમાં માંગ કરવામાં આવી હતી કે, આ મુદ્દાને ઉકેલવા માટે વહેલી તકે એક બેઠક બોલાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

એક જ ટેસ્ટમાં બે સદી ફટકાર્યા પછી પણ, ICC ના આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ઋષભ પંતને ઠપકો સહન કરવો પડ્યો.

લીડ્સ ટેસ્ટ ઋષભ પંત માટે હંમેશા માટે યાદગાર બની ગઈ છે. તેણે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી. તે આવું કરનારો વિશ્વનો માત્ર બીજો વિકેટકીપર બેટ્સમેન છે. તે વિદેશી ધરતી પર આવું કરનારો પહેલો વિકેટકીપર બેટ્સમેન પણ છે.

New Update
test criket

લીડ્સ ટેસ્ટ ઋષભ પંત માટે હંમેશા માટે યાદગાર બની ગઈ છે. તેણે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી. તે આવું કરનારો વિશ્વનો માત્ર બીજો વિકેટકીપર બેટ્સમેન છે. તે વિદેશી ધરતી પર આવું કરનારો પહેલો વિકેટકીપર બેટ્સમેન પણ છે.

જોકે, રમતના ફક્ત ચાર દિવસ થયા છે, એક દિવસ બાકી છે અને આ છેલ્લા દિવસે નક્કી થશે કે કઈ ટીમ મેચ જીતશે. દરમિયાન, ઋષભ પંતને ઠપકો આપવામાં આવ્યો છે. ખરેખર, પંતે ICC ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, તેનું પરિણામ તેને ભોગવવું પડે છે.

 લીડ્સ ટેસ્ટ દરમિયાન, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે તે સમયે ઋષભ પંત અમ્પાયર પાસે જાય છે અને બોલ ગેજમાંથી બોલ કાઢવાનું કહે છે. એકવાર અમ્પાયર આવું કરે છે, પરંતુ પંત તેનાથી સંતુષ્ટ નથી અને અમ્પાયરને ફરીથી તે જ કરવાનું કહે છે.

આ વખતે અમ્પાયર તેને ના પાડે છે. આનાથી નિરાશ થઈને, પંત બોલ પોતાના હાથમાં લે છે અને તેને જોરથી જમીન પર પછાડે છે. આ રિષભ પંતની નારાજગી વ્યક્ત કરવાની રીત છે, પરંતુ ICC એ તેને ગંભીરતાથી લીધી છે.

 હવે એવું સામે આવ્યું છે કે રિષભ પંત ICC આચારસંહિતાનો દોષિત સાબિત થયા છે. તેમને ઠપકો આપવામાં આવ્યો છે, અને ICC એ તેમના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેર્યો છે. જોકે, હાલ માટે આની કોઈ અસર થશે નહીં. પંતે લેવલ 1નું ઉલ્લંઘન કર્યું છે. એવું કહેવાય છે કે પંતે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે, તેથી તેના વિશે વધુ કોઈ વાત થશે નહીં.

 પંતને ડિમેરિટ પોઈન્ટ આપવાથી હાલમાં કોઈ અસર થશે નહીં. પરંતુ તમારે તેના નિયમો જાણવું જોઈએ. જો કોઈ ખેલાડીને 24 મહિના એટલે કે બે વર્ષના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ મળે છે, તો તેના પર કેટલીક મેચ રમવાનો પ્રતિબંધ મૂકવામાં આવે છે. જોકે, પંતને પહેલી વાર આ ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.

 રિષભ પંતે મેચની પહેલી ઇનિંગમાં 178 બોલમાં 134 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પછી, જ્યારે તે બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે પંતે 140 બોલમાં 118 રન બનાવ્યા. આ વખતે પંતે 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. હવે પંત ભારતના તે પસંદગીના ખેલાડીઓમાંનો એક બની ગયો છે જેમણે ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારી છે.

Latest Stories