/connect-gujarat/media/media_files/2024/10/27/l9inKOVnxqFVskB4hYs4.jpg)
ન્યૂઝીલેન્ડે ભારતને ટેસ્ટ સિરીઝની શરૂઆતના બે મેચોમાં હરાવ્યું. તેણે આ જીત સાથે સિરીઝમાં 0-2ની અજેય લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાની હાર પછી ઘણી ટીકા થઈ છે. કેપ્ટન રોહિત શર્મા પર પણ સવાલો ઉઠ્યા. ટીમની હાર પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક્શનમાં આવી ગયું છે. એક રિપોર્ટ મુજબ ટીમ મેનેજમેન્ટે બધા ખેલાડીઓને ટ્રેનિંગ સેશનમાં ભાગ લેવા માટે કહ્યું છે. હવે ખેલાડીઓએ દિવાળીના દિવસે પણ ટ્રેનિંગ કરવી પડશે.
ભારતને ન્યૂઝીલેન્ડે પહેલી ટેસ્ટમાં 8 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે બીજી ટેસ્ટમાં 113 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ કંઈ ખાસ કરી શક્યા નહીં. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ બંને ટેસ્ટ મેચોમાં ફ્લોપ સાબિત થયા. હવે આને લઈને BCCI એક્શનમાં છે.
ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર મુજબ ટીમ મેનેજમેન્ટે બધા ખેલાડીઓને ટ્રેનિંગ સેશનમાં ભાગ લેવા માટે કહ્યું છે. ટ્રેનિંગ સેશન 30 અને 31 ઓક્ટોબરે યોજાશે અને આ બધા ખેલાડીઓ માટે ફરજિયાત રહેશે. વિરાટ, રોહિત અને જસપ્રીત બુમરાહે પણ ભાગ લેવો પડશે. તેમને કોઈપણ પ્રકારની છૂટ નહીં મળે. આ પહેલા ઘણા ખેલાડીઓ માટે ટ્રેનિંગ સેશનમાં છૂટ રહેતી હતી. પરંતુ હવે એવું નહીં થાય. એટલે બધા ખેલાડીઓ દિવાળી પર પણ ટ્રેનિંગ કરશે.