IND vs NZ 1st ODI: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે

New Update
IND vs NZ 1st ODI: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે (બુધવાર) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાશે. ભારતીય ટીમે હાલમાં જ શ્રીલંકાને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી હરાવ્યું છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડને પણ હરાવવાનું લક્ષ્ય રાખશે. બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

પ્રથમ વનડેમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર રહેશે. શ્રીલંકા સીરિઝમાં એક પણ વન-ડે ન રમનાર ઈશાન કિશનને પ્લેઈંગ-11માં સ્થાન મળશે. કેપ્ટન રોહિત શર્માએ પુષ્ટી કરી છે કે ઇશાન કિશન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. કેએલ રાહુલ આ સીરિઝમાં રમશે નહીતેથી ઈશાન કિશનને વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળવી પડશે. ઈશાન અત્યાર સુધીમાં દસમાંથી ત્રણ વનડેમાં મિડલ ઓર્ડરમાં ઉતર્યો છે, તેથી તેને આ ઓર્ડર પર બેટિંગ કરવાનો અનુભવ પણ છે.

આ મેચમાં શુભમન ગિલ કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે. શુભમન ગિલે ત્રણ મેચમાં 70, 21 અને 116 રન બનાવ્યા હતા. ટીમમાં સામેલ બીજા વિકેટકીપર કેએસ ભરતની પસંદગી થવાની શક્યતા ઓછી છે કારણ કે કેએલ રાહુલની ગેરહાજરીમાં તેને કવર તરીકે રાખવામાં આવ્યો છે. આ વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડકપને જોતા દરેક મેચ મહત્વપૂર્ણ છે અને ભારત શ્રીલંકા સામે ગતિ જાળવી રાખવા માંગશે.