ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. આ સિરીઝ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની 15 સભ્યોની ટીમના વાઈસ કેપ્ટન તરીકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રહેશે.
છેલ્લા દિવસોમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું. હવે, ન્યૂઝીલેન્ડ સામે પોતાના ઘરઆંગણે 3 ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ ટોચ પર ચાલી રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગશે.
ન્યૂઝીલેન્ડ સામે ઓપનર તરીકે રોહિત શર્મા અને યશસ્વી જૈસવાલ રહેશે. ત્યારબાદ ટોપ ઓર્ડર માટે શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને સરફરાઝ ખાન જેવા બેટ્સમેનોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ અને ઋષભ પંત સ્ક્વોડનો ભાગ છે. રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સ્પિન વિભાગ સંભાળશે. સાથે જ ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ રહેશે.