IND vs SL 3rd ODI : આજે ભારત-શ્રીલંકા વચ્ચે સીરીઝની અંતિમ વનડે

New Update
IND vs SL 3rd ODI : આજે ભારત-શ્રીલંકા વચ્ચે સીરીઝની અંતિમ વનડે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ વનડે મેચની ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે, આજની મેચ કેરાલાના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, તીરુવનંતપુરમમાં રમાઇ રહી છે. ભારતીય ટીમ પહેલાથી જ ત્રણ મેચોની વનડે સીરીઝને 2-0થી કબજે કરી ચૂકી છે, આજની મેચ માત્ર ઔપચારિક છે. આજે બન્ને ટીમો વચ્ચે કેટલાક મોટા ફેરફારો પણ જોવા મળી શકે છે.

રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ વર્ષ 2023ની જીત સાથે શરૂઆત કરી છે, ઘરેલુ મેદાનમાં રમાઇ રહેલી વનડે સીરીઝમાં ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ બે વનડેમાં જીત મેળવીને સીરીઝમાં કબજો જમાવી દીધો છે, જોકે, આ જે ત્રીજી વનડે કેરાલાના તીરુવનંતપુરમમાં રમાઇ રહી છે, તેને પણ ટીમ ઇન્ડિયા જીતવાનો પુરેપુરો પ્રયાસ કરશે, જો જીત મળે છે, તો ભારતીય ટીમ માટે વ્હાઇટ વૉશથી સીરીઝ જીતવાનો મોકો રહેશે. જોકે બીજી બાજુ શ્રીલંકન ટી માટે આ વર્ષની શરૂઆત ખરાબ ગણી શકાશે.

રોહિત શર્મા એન્ડ કંપનીએ ત્રણ વનડેની સીરીઝમાં પ્રથમ બન્ને વનડેમાં શાનદાર જીત મેળવી છે, પ્રથમ વનડે ભારતમાં ગૌવાહાટીમાં રમાઇ હતી, અહી ભારતીય ટીમે 67 રનોથી શાનદાર જીત હાંસલ કરી હતી, જોકે, બીજી કરો યા મરો વનડે કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં રમાઇ હતી, આ મેચમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતાં 4 વિકેટથી જીત મેળવીને સીરીઝ પર કબજો જમાવી દીધો હતો. આજની મેચ તિરુવનંતપુરમમાં બપોરે 1-30 વાગ્યાથી શરૂ થઇ રહી છે.

Read the Next Article

IND vs ENG: શું કરુણને ચોથી ટેસ્ટમાં બીજી તક મળશે? કૃષ્ણ પરત ફરશે

આઠ વર્ષની રાહ જોયા બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર કરુણ નાયર અત્યાર સુધી પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરી શક્યો નથી અને 23મી તારીખથી શરૂ થનારી ચોથી ટેસ્ટમાં સ્થાન મેળવવું તેના માટે મુશ્કેલ બની શકે છે.

New Update
krun

આઠ વર્ષની રાહ જોયા બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર કરુણ નાયર અત્યાર સુધી પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરી શક્યો નથી અને 23મી તારીખથી શરૂ થનારી ચોથી ટેસ્ટમાં સ્થાન મેળવવું તેના માટે મુશ્કેલ બની શકે છે. જોકે, ટીમ મેનેજમેન્ટ તેને બીજી તક આપવા વિશે પણ વિચારી શકે છે.

સાઈ સુદર્શન કરુણ નાયરની જગ્યાએ ટીમમાં વાપસી કરી શકે છે, જેમણે અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચની છ ઇનિંગ્સમાં 00, 20, 31, 26, 40 અને 14 રન બનાવ્યા છે. ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની ટીમ મેનેજમેન્ટ માટે આ આંકડાઓને અવગણવા ખૂબ મુશ્કેલ હશે.

કૃષ્ણ પરત ફરશે

શું પ્રસિદ્ધ કૃષ્ણને તક મળશે કે શું ટીમ મેનેજમેન્ટ શાર્દુલ ઠાકુરને બેટિંગ ઓલરાઉન્ડર તરીકે તક આપશે. પ્રખ્યાતે હેડિંગ્લી ટેસ્ટમાં ખૂબ જ સામાન્ય બોલિંગ કરી હતી, જેના કારણે તેને ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જ્યારે શાર્દુલ લીડ્સ ખાતેની પહેલી ટેસ્ટ મેચમાં રમ્યો હતો, પરંતુ તેણે ફક્ત 16 ઓવર જ બોલિંગ કરી હતી.