New Update
એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) એ 26 જુલાઈથી શરૂ થઈ રહેલા પેરિસ ઓલિમ્પિક માટે 28 સભ્યોની ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરી છે. ટોક્યો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.નીરજ ચોપરાની સાથે આ વખતે કિશોર જેના પણ જેવલિન થ્રો કરતા જોવા મળશે.
ગયા વર્ષે એશિયન ગેમ્સમાં વુમન્સ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનારી અન્નુ રાની પેરિસમાં જેવલિન થ્રોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.પેરિસ ઓલિમ્પિક માટે 28 સભ્યોની એથ્લેટિક્સ ટીમમાં 17 પુરૂષ અને 11 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.નીરજ ચોપરા અને અન્નુ રાની ઉપરાંત, પુરૂષોની 3000 મીટર સ્ટીપલચેસ એથ્લેટ અવિનાશ સાબલે, એશિયાના ટોચના શોટ પુટર્સમાંના એક તજિન્દરપાલ સિંહ તૂર, મહિલા રેસ વોકર પ્રિયંકા ગોસ્વામી અને 4x400 મીટર રિલે દોડવીર મોહમ્મદ અનસ, અમોજ પાર્ટન અને સુબહા જેકોટેડે ત્રણ વર્ષ પહેલાં ભાગ લીધો હતો.