ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે જેકોબ ઓરમની નિયુક્તિ

ગુજરાત | Featured | સ્પોર્ટ્સ, ભારતના પ્રવાસ પહેલા પૂર્વ ઓલરાઉન્ડર જેકબ ઓરમની ન્યૂઝીલેન્ડના બોલિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે શેન જર્ગેનસેનની જગ્યા લેશે

New Update
Jacob-Oram

ભારતના પ્રવાસ પહેલા પૂર્વ ઓલરાઉન્ડર જેકબ ઓરમની ન્યૂઝીલેન્ડના બોલિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે શેન જર્ગેનસેનની જગ્યા લેશે, જેમણ નવેમ્બર 2023માં રાજીનામું આપી દીધું હતું. ઓરમ 7 ઓક્ટોબરે સત્તાવાર રીતે જોડાશે.કિવી ટીમે 16 ઓક્ટોબરથી ભારત સામે 3 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે.

શ્રેણી દરમિયાન, ઓરમને બેન સીઅર્સ અને વિલ ઓ'રર્કે જેવા નવા ચહેરાઓ સાથે કામ કરવું પડશે.ઓરમે કહ્યું- 'આશા છે કે હું નવા બોલરોને ઈન્ટરનેશનલ લેવલ માટે તૈયાર કરી શકીશ.' આ પછી પણ તે કિવી ટીમ સાથે જોડાયેલો રહેશે, કારણ કે તેને કાયમ માટે બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.ઓરામ પાસે 10 વર્ષનો કોચિંગનો અનુભવ છે. તેણે 2014માં ન્યૂઝીલેન્ડ A ટીમના બોલિંગ કોચ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી તે કોચ તરીકે કામ કરી રહ્યો છે.

Read the Next Article

IND vs ENG ટેસ્ટ: નંબર 3 પર કોને તક મળશે? કરુણ નાયરે પોતાના દિલની વાત કહી

ભારતીય ઉપ-કેપ્ટને બુધવારે સંકેત આપ્યો હતો કે કેપ્ટન શુભમન ગિલ 4 નંબર પર આવી શકે છે. તે જ સમયે, પંત પોતે 5 નંબર પર બેટિંગ કરતા જોવા મળશે.

New Update
crickts

ઇંગ્લેન્ડની ટીમે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ માટે તેના પ્લેઇંગ 11 ની જાહેરાત કરી છે. તે જ સમયે, ભારતની અંતિમ 11 ફક્ત ટોસ દરમિયાન જ જાણી શકાશે. જોકે, રિષભ પંતે પ્રેસ કોન્ફરન્સમાં ચિત્રને ઘણી હદ સુધી સ્પષ્ટ કરી દીધું હતું.

ગિલ 4 નંબર પર આવી શકે છે

ભારતીય ઉપ-કેપ્ટને બુધવારે સંકેત આપ્યો હતો કે કેપ્ટન શુભમન ગિલ 4 નંબર પર આવી શકે છે. તે જ સમયે, પંત પોતે 5 નંબર પર બેટિંગ કરતા જોવા મળશે. પંતે સ્પષ્ટ કર્યું નથી કે નંબર 3 પર કોને તક મળશે.

જોકે, BCCI એ આજે ​​એક વીડિયો શેર કર્યો. આ વીડિયો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કરુણ નાયરને પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ 11 માં તક મળી શકે છે. જો કરુણ અંતિમ 11 માં સ્થાન મેળવે છે, તો તેને 3 નંબર પર મેદાનમાં ઉતારી શકાય છે. તેણે છેલ્લા 8 વર્ષથી કોઈ ટેસ્ટ રમી નથી.

નાયરે પોતાના દિલની વાત કહી

BCCI દ્વારા X પર શેર કરાયેલા એક વીડિયોમાં, કરુણ નાયરે કહ્યું, "મારું લક્ષ્ય હંમેશા આ ટીમમાં પાછા ફરવાનું હતું. દરરોજ જ્યારે હું જાગતો હતો, ત્યારે હું વિચારતો હતો કે હું કેવી રીતે વાપસી કરી શકું. ફરી એકવાર ભારતીય જર્સી પહેરવી એ એક ખાસ અનુભૂતિ છે."

નાયરની ટેસ્ટ કારકિર્દી પર એક નજર

  • કરુણ નાયરે માર્ચ 2017 માં ધર્મશાલામાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ રમી હતી.
  • ત્યારથી, તે ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
  • આ સમય દરમિયાન, તેણે ઘણી વખત સ્થાનિક ક્રિકેટમાં પણ પોતાને સાબિત કર્યું.
  • કરુણ નાયરે નવેમ્બર 2016 માં મોહાલીમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
  • તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી રમાયેલી 6 ટેસ્ટમાંથી 7 ઇનિંગ્સમાં 374 રન બનાવ્યા છે.
  • નાયરે ચેન્નાઈમાં ઇંગ્લેન્ડ સામે અણનમ 303 રન બનાવ્યા હતા.

BCCI દ્વારા X પર શેર કરાયેલા એક વીડિયોમાં, કરુણ નાયરે કહ્યું, "મારું લક્ષ્ય હંમેશા આ ટીમમાં પાછા ફરવાનું હતું. દરરોજ જ્યારે હું જાગતો હતો, ત્યારે હું વિચારતો હતો કે હું કેવી રીતે વાપસી કરી શકું. ફરી એકવાર ભારતીય જર્સી પહેરવી એ એક ખાસ અનુભૂતિ છે."