પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવીને IPL 2025ના ક્વોલિફાયર-2 પર કર્યો કબજો

પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવીને IPL 2025ના ક્વોલિફાયર-2 પર કબજો કર્યો હતો. આ જીત સાથે પંજાબની ટીમ 18મી સીઝનની ફાઇનલમાં પણ પહોંચી ગઈ હતી.

New Update
pnb - mi

પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવીને IPL 2025ના ક્વોલિફાયર-2 પર કબજો કર્યો હતો. આ જીત સાથે પંજાબની ટીમ 18મી સીઝનની ફાઇનલમાં પણ પહોંચી ગઈ હતી.

હવે તેનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈએ પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં છ વિકેટે 203 રન બનાવ્યા, જેના જવાબમાં પંજાબે શ્રેયસની અડધી સદીની ઇનિંગની મદદથી 19 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવીને જીત મેળવી હતી.

પંજાબની ટીમ 2014 પછી ફાઇનલમાં પ્રવેશી છે. હવે તેનો સામનો 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે. RCBએ ક્વોલિફાયર-1 મેચમાં પંજાબને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની સફર ક્વોલિફાયર-2 માં સમાપ્ત થઈ હતી. ટીમે એલિમિનેટરમાં ગુજરાતને હરાવ્યું હતું પરંતુ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ટીમ ક્વોલિફાયર-2 ના અવરોધને પાર કરી શકી નહીં. પંજાબ અને આરસીબીએ અત્યાર સુધી ક્યારેય આઈપીએલ ટ્રોફી જીતી નથી, તેથી એ વાત નક્કી છે કે હવે ટુર્નામેન્ટને નવો ચેમ્પિયન મળશે.

પંજાબની આ જીતથી ચાહકો ખુશ થઈ ગયા. સહ-માલિક પ્રીતિ ઝિન્ટાને પણ હસવાની તક મળી હતી. શ્રેયસ ઐયરે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવતા જ તે ખુશીથી નાચવા લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પંજાબના ચાહકો પણ ખૂબ ખુશ છે.