રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો લીધો નિર્ણય

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી શક્યા ન હતો. તેમની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 0-3થી હારી ગઈ.

New Update
rohit bnd

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી શક્યા ન હતો. તેમની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 0-3થી હારી ગઈ.

Advertisment

આ પછી, ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સારું પ્રદર્શન કરી શકી નહીં અને હારી ગઈ. ત્યારથી, ટીમમાં તેમની સતત હાજરી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. હવે રોહિતે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેમણે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ભારતીય ટીમ IPL 2025 પછી ટેસ્ટ શ્રેણી રમવા માટે જૂનમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે.

રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી અને લખ્યું, 'નમસ્તે, હું બધાને કહેવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. રેડ બોલ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ગર્વની ક્ષણ હતી. પ્રેમ અને સમર્થન માટે બધાનો આભાર. હું દેશ માટે ODI ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખીશ. 

Advertisment