અનુભવી બેટિંગ ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાને શ્રીલંકન ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. સોમવારે શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિએ જયસૂર્યાને મુખ્ય કોચ બનાવવાનો નિર્ણય લીધો હતો. SLCએ X પોસ્ટથી આ માહિતી આપી હતી.55 વર્ષીય જયસૂર્યાને ભારત, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે ટીમના પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. ટીમે સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઘરઆંગણે ક્લીન સ્વીપ કર્યું છે.
ટીમે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું, જોકે ટીમ 3 મેચની શ્રેણી 2-1થી હારી ગઈ હતી. આ પહેલા ટીમે ભારત સામેની વનડે શ્રેણીમાં 2-0થી જીત મેળવી હતી.જયસૂર્યાને સપ્ટેમ્બર મહિનામાં શ્રીલંકન ટીમના વચગાળાના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. જયસૂર્યાનો કાર્યકાળ 31 માર્ચ 2026 સુધી ચાલશે.