વર્લ્ડ કપ 2023 : ભારતે નેધરલેન્ડ્સને 160 રને હરાવ્યું, ભારતનો સતત નવમો વિજય
BY Connect Gujarat12 Nov 2023 4:07 PM GMT
X
Connect Gujarat12 Nov 2023 4:07 PM GMT
વર્લ્ડ કપ 2023માં ભારતે તેનું વિજેતા અભિયાન ચાલુ રાખ્યું છે. ટીમે છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ્સને 160 રને હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારતનો આ સતત નવમો વિજય છે.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 47.5 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે અણનમ 128 રન અને કેએલ રાહુલે 102 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (61 રન), શુભમન ગિલ (51 રન) અને વિરાટ કોહલી (51 રન)એ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
Next Story