રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના બાદ પ્રધાનોને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી હતી.

સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરકનુ દેસાઈને સુરત અને નવસારીજીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટકુંવરજી બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના પ્રભારી પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી.

જ્યારે નરેશ પટેલને વલસાડ અને તાપીઅર્જુન મોઢવાડીયાને જામનગર અને દાહોદડો.પ્રદ્યુમન વાજાને સાબરકાંઠા અને જૂનાગઢરમણ સોલંકીને ખેડા અને અરવલ્લીના પ્રભારી પ્રધાન બનાવાયા હતા. ઈશ્વરસિંહ પટેલને નર્મદામનિષા વકીલને છોટા ઉદેપુરપરષોત્તમ સોલંકીને ગીર સોમનાથકાંતિલાલ અમૃતિયાને કચ્છરમેશ કટારાને પંચમહાલદર્શના વાઘેલાને સુરેન્દ્રનગરજયરામ ગામીતને ડાંગસ્વરૂપજી ઠોકોરને પાટણ અને રિવાબા જાડેજાને બોટાદના પ્રભારી પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. કૌશિક વેકરીયાને ભાવનગર અને જૂનાગઢ (સહ પ્રભારી)પ્રવિણ માળીને મહેસાણા અને નર્મદા (સહ પ્રભારી)ત્રિકમ છાંગા મોરબી અને રાજકોટ (સહ પ્રભારી)કમલેશ પટેલને બનાસકાંઠા અને વડોદરા (સહ પ્રભારી) સંજય મહીડાને આણંદ અને ભરૂચ (સહ પ્રભારી)પી સી બરંડાને મહીસાગર અને દાહોદ(સહ પ્રભારી) તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.