સુરત : ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં ફરાર અતુલ વેકરીયા આખરે ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર

New Update
સુરત : ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં ફરાર અતુલ વેકરીયા આખરે ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર

સુરતના ચકચારી ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસ પોતાની કારથી ઉર્વશી ચૌધરી નામની આશાસ્પદ યુવતીનું મોત નીપજાવી નાસતો ફરતો અતુલ વેકરીયા ફરતેનો ગાળિયો મજબુત બનતાં તે આખરે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો છે....

અતુલ બેકરીની શૃંખલાઓનો માલિક અતુલ વેકરીયા દારૂની મહેફીલમાંથી પરત ફરી રહયો હતો ત્યારે યુનિવર્સીટી રોડ પર રસ્તામાં ત્રણ વાહનોને અડફેટમાં લીધાં હતા. જેમાં ઉર્વશી ચૌધરી નામની યુવતી ગંભીર રીતે ઘવાતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને અટકમાં લીધો હતો. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાતા તેને 15 હજારના જાત જામીન પર મુક્ત કરતો હુકમ કરાયો હતો. અતુલ વેકરીયા સામે વધી રહેલા જનઆક્રોશ સામે ઝુકીને પોલીસે
અતુલ વેકરીયા સામે સાપરાધ મનુષ્ય વધ અને ડ્રીંક એન્ડ ડ્રાઈવના ગુનાની કલમ ઉમેરી હતી અને તેને કોર્ટે પણ મંજુરી આપી દીધી હતી. આરોપી અતુલ વેકરીયાને ઝડપી પાડવા પોલીસ સક્રિય થતાં તે ભુર્ગભમાં ઉતરી ગયો હતો. અતુલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેના પર આગામી 12 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાનાર છે. દરમિયાન આજે અતુલ ઉમરા પોલીસમાં હાજર થઈ ગયો હતો. અતુલ વેકરીયાનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેને સારવાર માટે ખસેડાયો છે. બીજી તરફ સોશિયલ મિડીયામાં લોકો ઉર્વશીના પરિવારને સપોર્ટ કરી રહયાં છે અને અતુલ સામે કાર્યવાહી નહિ થાય તો રાજયભરમાં અતુલ બેકરીઓ બંધ કરાવી દેવાની ચીમકી આપી રહયાં છે.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.