/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/31130020/SRT-SMUL-DAIRY-AMBULANCE-e1617176160479.jpg)
સુરતની સુમુલ ડેરી દ્વારા તેઓના 2.5 લાખ પશુપાલકોના પશુઓ ની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી રહી છે. આ એમ્બ્યુલન્સ સેવા 24 કલાક કાર્યરત રહેશે અને સુરત તેમજ તાપીજીલ્લાના છેવાડાના ગામો સુધી પશુઓની સારવાર માટે જશે.
Watch Video : https://fb.watch/4zTa40oHEY/
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધી પશુપાલકોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે જેના ભાગરૂપે સુરતની સુમુલ ડેરી દ્વારા નવો પ્રોજેકટ શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે એવી જ રીતે સુમુલ ડેરી દ્વારા પશુઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. આ એમ્બ્યુલન્સ સેવા 24 ક્લાક કાર્યરત રહેશે અને સુરત તેમજ તાપી જિલ્લાના છેવાડાના ગામો સુધી જઈ બીમાર પશુઓની સારવાર કરશે.
આ માટે 50 જેટલા પશુ ચિકિત્સકોની ટીમ પણ કાર્યરત રહેશે. આ સેવા તારીખ 1લી એપ્રિલથી શરૂ થશે અને ડેરી દ્વારા ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે. ટોલ ફ્રી નંબર પર કોલ કરતાંય સાથે જ 1 કલાકના સમયગાળામાં એમ્બ્યુલન્સ પશુચિકિત્સકની સાથે પશુપાલકના ઘરે પહોંચશે અને બીમાર પશુની સારવાર કરશે. આ સેવાથી સુમુલ ડેરીના 2.5 લાખ પશુપાલકોને લાભ થશે.