તુર્કિસ્તાનમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં સુરતના ઘનશ્યામ ગઢાદરાએ એશિયન કપ ભારતના નામે કર્યો...

એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં 10 દેશોની વચ્ચે ભારતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો, અને આ ખિતાબ ભારતે પોતાના નામે કર્યો

New Update
  • તુર્કિસ્તાનમાં એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાય

  • હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં ભારતના સ્પર્ધકે બાજી મારી

  • સુરતના ઘનશ્યામ ગઢાદરાએ કરી બતાવ્યુ શ્રેષ્ઠ પ્રદર્શન

  • 45 મિનિટના ટાસ્કને માત્ર 30 મિનિટમાં જ કરી બતાવ્યો

  • હેર સ્ટાઈલિંગ સ્પર્ધામાં એશિયન કપ ભારતના નામે કર્યો

તુર્કિસ્તાનમાં યોજાયેલા એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં ભારત તરફથી સુરતના ઘનશ્યામ ગઢાદરાએ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી એશિયન કપ ભારતને નામે કર્યો હતો.

હાલમાં જ તુર્કિસ્તાનમાં યોજાયેલી CMC એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં 10 દેશોની વચ્ચે ભારતે પ્રથમ ક્રમ મેળવ્યો હતોઅને આ ખિતાબ ભારતે પોતાના નામે કર્યો હતો.

જેમાં ભાગ લેનાર સુરતના ઘનશ્યામ ગઢાદરાએ 45 મિનિટના ટાસ્કમાં 30 મિનિટમાં જ સૌપ્રથમ કામગીરી કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડચાઈનારશિયાતુર્કીસ્તાનઅરમાનિયા સહિતના 10 દેશોની વચ્ચે ભારતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ભારત દેશનું નામ રોશન કરનાર ઘનશ્યામ ગઢાદરાને સૌકોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Read the Next Article

સુરત : શહેર ભવ્ય તિરંગા યાત્રામાં તરબોળ, "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની" થીમ પર હજારો લોકો ઉમટ્યા

દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું

New Update
  • ભવ્ય તિરંગા યાત્રાનું કરાયું આયોજન

  • યાત્રામાં હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતાની થીમ

  • 1.8 કિ.મી લાંબા રૂટને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો

  • કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રીએ યાત્રાનું કરાયું પ્રસ્થાન

  • હાથમાં તિરંગો લઈને નાગરિકો જોડાયા યાત્રામાં  

સુરત શહેરના વાય જંક્શનથી આર.આર.મોલ સુધી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું.આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતાજેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા હર ઘર તિરંગાહર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતોજેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો.

તિરંગાયાત્રાનો શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાએ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદોના કુટુંબીજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.