સુરતીઓ હવે, ભૂલથી પણ રોંગ સાઈડ જશો નહીં, પોલીસ કરશે કડક કાર્યવાહી

રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં. મારી ઓફિસથી પણ ફોન આવશે તો પોલીસ છોડશે નહીં. રોંગ સાઈડ પર જઈને આપણા પરિવારનું આપણે જોખમ ઊભું કરીએ છીએ:હર્ષ સંઘવી

New Update
સુરત શહેરના અલથાણ વિસ્તાર સ્થિત આમ્રપાલી બંગલોઝ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ સાંભળી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. સુરત શહેરના અલથાણ વિસ્તાર સ્થિત આમ્રપાલી બંગલોઝ ખાતે સ્થાનિકોની મુલાકાત દરમ્યાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તમે લોકો દિલ ખોલીને કોઈપણ ફરિયાદ કરી શકો છો. મુલાકાત વેળા ગૃહ મંત્રીએ ટ્રાફિકની સમસ્યાને લઈ લોકોને સમજણ આપી હતી. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ભૂલથી પણ રોંગ સાઈડ નહીં જતા નહીં તો પોલીસ કડક કાર્યવાહી કરશે.
જો કોઈ કાયદો તોડશે તો હાથમાં પોલીસની સ્લેટ પકડવી પડશે, અને આ બાબતમાં કોઈ જ ભલામણ ચાલશે નહીં. રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં. મારી ઓફિસથી પણ ફોન આવશે તો પોલીસ છોડશે નહીં. રોંગ સાઈડ પર જઈને આપણા પરિવારનું આપણે જોખમ ઊભું કરીએ છીએ. રોંગ સાઈડ પર પોલીસ દ્વારા કેસ કરવાના ચાલુ કરાયા છે. જેથી હવે રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે. હાલ ટ્રાફિક સિગ્નલ અને નિયમોના કડકાઈ અમલથી  એકસીડન્ટમાં ખૂબ મોટો ઘટાડો થયો છે.
એક અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માત ઓછા થયા અને ફેટલ પણ ખૂબ ઓછા થયા છે, જેનાથી મોટી સુરતીઓની કોઈ પ્રસિદ્ધિ ન કહી શકાય. સુરતમાં અકસ્માત ઓછા કરવાની આપણી જીત છે. મને આશા છે કે, આજે આપણે સૌ સાથે મળી પૂરી કરીશું. તો બીજી તરફ, અનેક લોકોએ ટ્રાફિકના જુના મેમો આવતા હતા, તેની પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. પરંતુ મેમો તો ભરવા જ પડશે તેવું પણ રાજ્યના ગૃહમંત્રીએ જણાવી મેમો અમારી માટે પ્રાથમિકતા નથી, શહેરમાં અકસ્માત રોકવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રાથમિકતા છે તેમ કહ્યું હતું.
Read the Next Article

સુરત : આંગણીયા પેઢીના 2 કર્મચારી સાથે થયેલ રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો, 5 શખ્સોની ધરપકડ

આંગણીયા પેઢીના કર્મચારીને માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો

New Update
  • વરાછામાં થયેલ લાખોના મત્તાની લૂંટ અને ચોરીનો મામલો

  • આંગણીયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થઈ લૂંટ અને ચોરી

  • રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો

  • પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ આદરી

  • 5 શખ્સોની ધરપકડ સાથે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી 

સુરતમાં અમદાવાદની આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. સમગ્ર મામલે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના આર. મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત તારીખ 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનુંચાંદી અને હીરા સહિત રૂ. 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. જે તા. 15મીએ મળસ્કે 4:30 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. તે જ વખતે તેની પાસે બ્લ્યુ કલરની કાર આવીને ઉભી રહી હતી.

કારમાં આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મુકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઉભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતોઅને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી રૂ. 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ તા. 16મીએ રાત્રે 8:15 વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લૂંટની તપાસ ચાલી રહી હતીતેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરીમેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે રૂ. 24.10 લાખના હીરા અને 90 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. જે તા. 17મીની મળસ્કે 5:15 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી હતી. આંગડિયાકર્મી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મુકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતોતે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે સવાર 2 ગઠિયા થેલો લઈને ઉતરી જતાં ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતીતેના 9 કલાકમાં જ બીજો કર્મચારી ચોરીનો ભોગ બનતા પોલીસ દોડતી થઇ હતી.

બન્ને ઘટનાઓને લઈને પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતીત્યારે આંગડિયા પેઢીના 2 અલગ અલગ કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા શૈલેષ રાજપુરોહિતશ્રવણસિંહ રાજપૂતજોગસિંહ રાજપુરોહિતઆકાશસિંગ ગણપતસિંગભરત રાજપુરોહિતને ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સો પાસેથી અલગ અલગ કેરેટના રૂ. 4 લાખના ડાયમંડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.