સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા મુકેશ ખન્નાની ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાય...

હર્ષ સંઘવી તેમજ અભિનેતા મુકેશ ખન્નાની ઉપસ્થિતીમાં ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલોશિપ તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

New Update
  • ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલોશિપ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીઅભિનેતા મુકેશ ખન્નાની ઉપસ્થિતી

  • દેશના 18 રાજ્યમાંથી પધારેલા સ્કાઉટનું સન્માન કરવામાં આવ્યું

  • બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રહી લોકઉપયોગી થવાની સલાહ

ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલોશિપ તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા સુરત ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અભિનેતા મુકેશ ખન્નાની ઉપસ્થિતીમાં Indian Scout and Guide Fellowship તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં દેશના 18 રાજ્યમાંથી સ્કાઉટ દ્વારા કરવામાં આવેલી સન્માનનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ સાથે જ શ્રીલંકાથી પધારેલા 2 અને મલેશિયાથી આવેલા સ્કાઉટનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતની વિવિધ શાળાના 7 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અભિનેતા મુકેશ ખન્નાએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સલાહ આપી હતી. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તમામ બાળકોને લોક ઉપયોગી થવાની સલાહ આપી હતી.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.