સુરત : દિવ્યાંગ રોહને અશક્યને શક્ય કરી બતાવ્યું,સ્વિમિંગમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

રોહન ચાસીયા દ્વારા અશક્યને શક્ય કરી બતાવ્યું છે,ડોક્ટરે તેમને સ્વિમિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી,પરંતુ મજબૂત મનોબળથી સ્વિમર રોહને સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી

New Update
  • દિવ્યાંગ રોહનની સ્વિમિંગમાં ઝળહળતી સફળતા

  • ડોકટરે સ્વિમિંગ સર્ટિફિકેટમાં સહી કરી નહોતી 

  • માતાપિતાના સહકાર અને મજબૂત મનોબળથી મેળવી સિદ્ધિ

  • સ્વિમિંગ સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ મેડલ

  • ખેલ મહાકુંભમાં ટ્રાઈસીકીલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

Advertisment

સુરતના દિવ્યાંગ રોહન ચાસીયા દ્વારા અશક્યને શક્ય કરી બતાવ્યું છે,ડોક્ટરે તેમને સ્વિમિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી,પરંતુ મજબૂત મનોબળથી સ્વિમર રોહને સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી હતી.

સુરતના સ્વિમર રોહન ચાસીયાનો જન્મ વર્ષ 1998માં થયો હતો. રોહનને જન્મથી જ 90 ટકા દિવ્યાંગતા હોવાના કારણે અન્ય બાળકોની જેમ દોડવુંરમવુંનાચવુએ સપનાથી વધુ કંઈ નહોતું. કમરથી નીચેનો ભાગ કોઈપણ પ્રકારની હિલચાલ કરી શકતો નહોતો. માતા-પિતાએ રોહનને શ્રેષ્ઠ ડોક્ટરોને બતાવ્યો પણ ડોક્ટરોએ પણ કહી દીધું હતું કેઆની સારવાર કોઈપણ દેશમાં શક્ય નથી. આ વાત એક સામાન્ય વ્યક્તિ માટે નિરાશાનું કારણ બની શકેપણ રોહન માટે આ એક ચેલેન્જ હતી.

રોહન ચાસીયાએ પોતાની સંઘર્ષભરી જીવનયાત્રામાં વર્ષ 2015માં ધોરણ 12ની પરીક્ષામાં બે વિષયમાં ફેલ થયો હતો. એ સમય દરમિયાન રોહને સ્વિમિંગ જોઈન્ટ કરવાનો નિર્ણય લીધો હતો.અને સ્વિમિંગ કોચને મળીને સ્વિમિંગ જોઈન્ટ કર્યું હતું,જોકે રોહનની દિવ્યાંગતાને કારણે ડોકટરે પણ સ્વિમિંગ ફોર્મમાં સહી કરવાની ના પાડી દીધી હતી. જ્યારે રોહનના માતા પિતાએ તેને પૂરો સાથ સહકાર આપીને હિંમત આપી હતી.

સ્વિમિંગની ટ્રેનિંગ લીધા બાદ કર્ણાટકનાં ગેલગામ ખાતે યોજાયેલી નેશનલમાં જુનિયર બોયઝની એસ 8 કેટેગરીમાં 50 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર બ્રેક સ્ટ્રોકમાં રોહને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.રોહનને  ડિસેબિલિટી કોઇ દિવસ આડે આવી નથી.વર્ષ 2013માં ખેલ મહાકુંભમાં દિવ્યાંગ કેટેગરીમાં 100 મીટર ટ્રાઇસિકલ રેસ અને ડાર્ટ ગેમમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.પછી નેશનલ પેરાલંપિક સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ મેળ્યા હતા.

Advertisment
Read the Next Article

સુરત : કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ,ચાર શખ્સો હુમલો કરીને ફરાર

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સોએ જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો

New Update
  • લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના

  • કુખ્યાત સમીર માંડવા પર થયું ફાયરિંગ

  • ફાયરિંગમાં સમીર માંડવાનો આબાદ બચવા

  • ચાર જેટલા ઈસમો ફાયરિંગ કરીને ફરાર

  • અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું 

Advertisment

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સો જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું.હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો. જોકે તેને કોઈ ઇજા થવા પામી નથી. ત્યારે તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના પર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છેજેમાં તેની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવાયું હતું. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

સમીર માંડવા સામે લૂંટધમકીમારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવાની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબહાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથીપરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisment