સુરત : દિવ્યાંગ રોહને અશક્યને શક્ય કરી બતાવ્યું,સ્વિમિંગમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

રોહન ચાસીયા દ્વારા અશક્યને શક્ય કરી બતાવ્યું છે,ડોક્ટરે તેમને સ્વિમિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી,પરંતુ મજબૂત મનોબળથી સ્વિમર રોહને સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી

New Update
  • દિવ્યાંગ રોહનની સ્વિમિંગમાં ઝળહળતી સફળતા

  • ડોકટરે સ્વિમિંગ સર્ટિફિકેટમાં સહી કરી નહોતી 

  • માતાપિતાના સહકાર અને મજબૂત મનોબળથી મેળવી સિદ્ધિ

  • સ્વિમિંગ સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ મેડલ

  • ખેલ મહાકુંભમાં ટ્રાઈસીકીલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

Advertisment

સુરતના દિવ્યાંગ રોહન ચાસીયા દ્વારા અશક્યને શક્ય કરી બતાવ્યું છે,ડોક્ટરે તેમને સ્વિમિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી,પરંતુ મજબૂત મનોબળથી સ્વિમર રોહને સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી હતી.

સુરતના સ્વિમર રોહન ચાસીયાનો જન્મ વર્ષ 1998માં થયો હતો. રોહનને જન્મથી જ 90 ટકા દિવ્યાંગતા હોવાના કારણે અન્ય બાળકોની જેમ દોડવુંરમવુંનાચવુએ સપનાથી વધુ કંઈ નહોતું. કમરથી નીચેનો ભાગ કોઈપણ પ્રકારની હિલચાલ કરી શકતો નહોતો. માતા-પિતાએ રોહનને શ્રેષ્ઠ ડોક્ટરોને બતાવ્યો પણ ડોક્ટરોએ પણ કહી દીધું હતું કેઆની સારવાર કોઈપણ દેશમાં શક્ય નથી. આ વાત એક સામાન્ય વ્યક્તિ માટે નિરાશાનું કારણ બની શકેપણ રોહન માટે આ એક ચેલેન્જ હતી.

રોહન ચાસીયાએ પોતાની સંઘર્ષભરી જીવનયાત્રામાં વર્ષ 2015માં ધોરણ 12ની પરીક્ષામાં બે વિષયમાં ફેલ થયો હતો. એ સમય દરમિયાન રોહને સ્વિમિંગ જોઈન્ટ કરવાનો નિર્ણય લીધો હતો.અને સ્વિમિંગ કોચને મળીને સ્વિમિંગ જોઈન્ટ કર્યું હતું,જોકે રોહનની દિવ્યાંગતાને કારણે ડોકટરે પણ સ્વિમિંગ ફોર્મમાં સહી કરવાની ના પાડી દીધી હતી. જ્યારે રોહનના માતા પિતાએ તેને પૂરો સાથ સહકાર આપીને હિંમત આપી હતી.

સ્વિમિંગની ટ્રેનિંગ લીધા બાદ કર્ણાટકનાં ગેલગામ ખાતે યોજાયેલી નેશનલમાં જુનિયર બોયઝની એસ 8 કેટેગરીમાં 50 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર બ્રેક સ્ટ્રોકમાં રોહને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.રોહનને  ડિસેબિલિટી કોઇ દિવસ આડે આવી નથી.વર્ષ 2013માં ખેલ મહાકુંભમાં દિવ્યાંગ કેટેગરીમાં 100 મીટર ટ્રાઇસિકલ રેસ અને ડાર્ટ ગેમમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.પછી નેશનલ પેરાલંપિક સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ મેળ્યા હતા.

Advertisment
Read the Next Article

સુરત : સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી, FIR દાખલ કરાશે : મેયર દક્ષેશ માવાણી

સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી

New Update
  • શહેરભરના વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા

  • સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી

  • ડ્રાઈવર અને કંડકટરો દ્વારા કરાતી હેરાનગતી

  • મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી

  • 218 બસ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાય 

Advertisment

સુરત શહેરમાં સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા મુસાફરોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદોને લઈને FIR દાખલ કરવા સુધી મનપા તંત્રએ તૈયારી બતાવી છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં 1032 કંડકટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી હતીજ્યારે 218 બસ ડ્રાઈવર સામે પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.

 વધુમાં ગત વર્ષે સર્જાયેલા બસ અકસ્માત બાદ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ ટિકિટના દુષણના લીધે મોટું નુકશાન થઈ રહ્યું છેત્યારે હવે જે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરવી તેમજ લાઇસન્સ સસ્પેન્સ કરવા સાથે FIR દાખલ કરવામાં આવશે તેવું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યુ હતું.

Advertisment