શ્રીનગરમાં શ્રધ્ધાળુઓની બસ પર આતંકી હુમલામાં 10 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો છે. આમાં 10 લોકોનાં મોતના સમાચાર છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ આતંકવાદી હુમલો નવી દિલ્હીમાં પીએમ મોદી અને નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહ દરમિયાન થયો હતો.