તાઉટે વાવાઝોડુ હવે રાજસ્થાનમાં, અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ

New Update
તાઉટે વાવાઝોડુ હવે રાજસ્થાનમાં, અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ

સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ તાઉટે વાવાઝોડુ વાયા અમદાવાદ થઇને રાજસ્થાન તરફ આગળ વધી રહયું છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના કારણે 170 કીમીની ઝડપે ફુંકાયેલા પવનોએ ખેતી તથા મકાનો અને કેબીનોનો દાટ વાળી દીધો છે. સૌરાષ્ટ્રથી વાવાઝોડાએ અમદાવાદમાં અનેક વૃક્ષો અને હોર્ડિગ્સ ધરાશાયી કરી વાવાઝોડુ રાજસ્થાન તરફ આગળ વધી રહયું છે. વાવાઝોડું નબળું પડવાથી હવે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાનો છે. પહેલાં અંદાજ હતો કે હવાની ગતિ 60 કિમી સુધીની રહી શકે છે. હવામાન વિભાગે આ સિસ્ટમને કારણે ઉદયપુર અને જોધપુરના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે, સાથે આ વાવાઝોડાને લીધે દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સિસ્ટમની અસરને કારણે મંગળવારે મોડી રાતે અથવા બુધવારે સવારે બાંસવાડા, ભીલવાડા, ચિતૌડગઢ, ડુંગરપુર, પ્રતાપગઢ, રાજસમંદ, સિરોહી, ઉદયપુર, ઝાલૌર અને પાલીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય જયપુર, અજમેર, કોટા અને ભરતપુરના ઘણા જિલ્લામાં પણ બુધવારે બપોરે અથવા મોડી સાંજે વરસાદ થવાનો અંદાજ છે.ચક્રવાતના પ્રભાવના કારણે ગઈ કાલ રાતથી ભીલવાડા અને ચિતૌડગઢમાં પણ ઝરમર વરસાદ થયો છે. ભીલવાડામાં 50 મિમી, ચિતૌડગઢમાં 24 મિમી વરસાદ થયો છે. આ સિવાય ઉદેપુરમાં 20.6, ટોંકમાં 20, બુંદીમાં 14, સવાઈ માધોપુરમાં 16, પાલીમાં 6 મિમી વરસાદ થયો છે. ફલૌદી, બિકાનેર, ચુરુ, જયપુર, જોધપુર સહિત ઘણી જગ્યાએ વરસાદ થયો છે.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.