Connect Gujarat
Featured

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના બે મહિનાના સૌથી ઓછા કેસ નોંધાયા જ્યારે 2427 સંક્રમિતોના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના  બે મહિનાના સૌથી ઓછા કેસ નોંધાયા જ્યારે 2427 સંક્રમિતોના મોત
X

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડી હોય તેમ લાગે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખ 636 નવા કેસ નોંધાયા છે. જ્યારે ગઈકાલે 2427 લોકોનાં મોત થયાં હતાં. જોકે ગઈકાલે એક લાખ 74 હજાર 399 લોકો પણ સાજા થયા છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસો 61 દિવસમાં સૌથી ઓછા છે. આ પહેલા 7 એપ્રિલે સૌથી ઓછા કેસ નોંધાયા હતા, ત્યારબાદ એક દિવસમાં એક લાખ 15 હજારથી વધુ કેસ નોંધાયા હતા. મંત્રાલયે માહિતી આપી છે કે હવે દેશમાં દૈનિક પોઝિટિવિટી દર 6.34 ટકા થઈ ગયો છે.

સાથે જ દેશમાં કોરોના સંક્રમિત સરદીઓની કુલ સંખ્યા બે કરોડ 89 લાખ 9 હજાર 975 છે જ્યારે કુલ બે કરોડ 71 લાખ 59 હજાર 180 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કારણે મૃત્યુ પામનારની કુલ સંખ્યા ત્રણ લાખ 49 હજાર 186 થઈ છે જ્યારે દેશમાં હજી કુલ 14 લાખ 01 હજાર 609 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ રસીના 13 લાખ 90 હજાર 916 ડોઝ લાગુ થયા છે, જે પછી કુલ રસીકરણનો આંકડો 23 કરોડ 27 લાખ 86 હજાર 482 પર પહોંચી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ માહિતી આપી છે કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસના 15 લાખ 87 હજાર 589 નમૂનાઓ લેવામાં આવ્યા છે. જે બાદ ગઈકાલ સુધીમાં કુલ 36 કરોડ 63 લાખ 34 હજાર 111 નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Next Story