Connect Gujarat
ટ્રાવેલ 

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્વિમ રેલવેએ લીધો મોટો નિર્ણય, પશ્ચિમ રેલવે પાંચ જોડી ફેસ્ટિવલ ટ્રેનો દોડાવશે

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્વિમ રેલવેએ લીધો મોટો નિર્ણય, પશ્ચિમ રેલવે પાંચ જોડી ફેસ્ટિવલ ટ્રેનો દોડાવશે
X

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્વિમ રેલવેએ મોટો નિર્ણય લીધો હતો. તહેવારો દરમિયાન પશ્ચિમ રેલવે પાંચ જોડી ફેસ્ટિવલ ટ્રેનો દોડાવશે. આ પાંચ ટ્રેનમાં સાબરમતી- દાનાપુર, વડોદરા- હરિદ્વાર, વડોદરા- ગોરખપુર, ડો. આંબેડકરનગર- પટના અને અમદાવાદ સમસ્તીપુર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી છ લાખ મુસાફરોને રાહત મળશે. પશ્ચિમ રેલવે તરફથી ફેસ્ટિવલ ટ્રેન કઈ તારીખથી દોડશે તેની જાણકારી અહી આપવામાં આવી છે.

સાબરમતી-દાનાપુર ટ્રેન માટે 8 નવેમ્બરથી બુકિંગ શરૂ થશે. તે સિવાય દાનાપુર- સાબરમતી ટ્રેન માટે 9 નવેમ્બરથી બુકિંગ શરૂ થશે. ડો. આંબેડકરનગર- પટના દર ગુરૂવારે 10 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી દોડશે. વડોદરા- ગોરખપુર સ્પેશિયલ ટ્રેન દર સોમવારના સાંજે 7 વાગ્યે વડોદરાથી ઉપડશે. વડોદરા- હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન દર શનિવારે સાંજે 7 વાગ્યાથી વડોદરાથી પ્રસ્થાન કરશે. અમદાવાદ- સમસ્તીપુર ટ્રેન દર ગુરૂવારે બપોરે સાડા ત્રણ વાગ્યે અમદાવાદથી ઉપડશે.

સૌરાષ્ટ્રવાસીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ સાપ્તાહિક સ્પેશિય ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગરના મહુવા અને સુરત વચ્ચે સપ્તાહમાં બે દિવસ વિશેષ ટ્રેન દોડશે. મહુવાથી દર ગુરૂવારે અને શનિવારે બપોરે ટ્રેન ઉપડશે. આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે આજથી ટિકિટ બુકિંગ શરૂ થયું ગયું છે. આ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે ઉપડશે.

Next Story