શું તમે રાજસ્થાન ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો જયપુરમાં આ કિલ્લાઓની મુલાકાત અવશ્ય લો

અહીં ઘણા સુંદર મહેલ અને કિલ્લાઓ છે, જેને દરેક વ્યક્તિ જોવા માંગે છે.

શું તમે રાજસ્થાન ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો જયપુરમાં આ કિલ્લાઓની મુલાકાત અવશ્ય લો
New Update

હજુ આજે પણ સંસ્કૃતિ અને પરંપરાઓનો દેશ ભારત ઘણા કારણોસર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં દરેક વસ્તુનું પોતાનું મહત્વ છે. ખાણીપીણીથી લઈને કપડાં સુધીની વિવિધતા અહીં જોવા મળે છે. આ સિવાય અહીં એવી ઘણી હેરિટેજ સાઇટ્સ છે, જેને જોવા માટે દેશ અને દુનિયાના લોકો ભારત આવે છે. રાજસ્થાન ભારતનું એક એવું રાજ્ય છે, જે તેની સંસ્કૃતિ અને સુંદરતા માટે જાણીતું છે. એટલું જ નહીં, અહીં એવી ઘણી હેરિટેજ સાઇટ્સ છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. અને તેની સંસ્કૃતિ અને મર્યાદાઓને માણે છે.

રાજસ્થાનની રાજધાની જયપુર આ જગ્યાઓમાંથી એક છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. તેને પિંક સિટી પણ કહેવામાં આવે છે. અહીં ઘણા સુંદર મહેલ અને કિલ્લાઓ છે, જેને દરેક વ્યક્તિ જોવા માંગે છે. જો તમે પણ જયપુર ફરવા જવાનું વિચારી રહ્યા છો અને ઐતિહાસિક સ્થળો જોવા માંગો છો તો અહીં હાજર અને અડીખમ આ ત્રણ કિલ્લાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

આમેર કિલ્લો :-

જો તમે જયપુર જઈ રહ્યા છો, તો આમેર કિલ્લાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. આ કિલ્લાને જોવા માટે માત્ર દેશ જ નહીં વિદેશથી પણ લોકો જયપુર આવે છે. તે એક ભવ્ય કિલ્લો છે, જે રેતીના પથ્થરથી બનેલો છે. આ કિલ્લાનું નિર્માણ 16મી સદીના અંતમાં રાજા માન સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, તે રાજા જયસિંહના પ્રથમ શાસન દરમિયાન પૂર્ણ થયું હતું. આ કિલ્લાને પૂર્ણ કરવામાં 100 વર્ષ લાગ્યા હતા.

નાહરગઢ કિલ્લો :-

પિંક શહેર જયપુરમાં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે, પરંતુ જો તમે કંઈક અદ્ભુત જોવા માંગો છો, તો ચોક્કસપણે નાહરગઢ કિલ્લાની મુલાકાત લો. રાત્રે આ કિલ્લા પરથી શહેરનો નજારો અદ્ભુત હોય છે. પ્રકાશમાં નહાતું આખું શહેર ખૂબ જ સુંદર લાગે છે. જો કે, આ કિલ્લા વિશે કેટલીક અફવાઓ છે. અને કેટલીક અંદશ્રદ્ધાઓ પણ છે.

જયગઢ કિલ્લો :-

જયપુરમાં સ્થિત જયગઢ કિલ્લો પણ શહેરની ધરોહરોમાંનો એક છે. તે ઘણી રીતે ખૂબ જ ખાસ છે. એવું કહેવાય છે કે આ કિલ્લો જયપુરનો સૌથી મજબૂત કિલ્લો હતો. 18મી સદીમાં બનેલા આ કિલ્લામાં તે સમયે વિશ્વની સૌથી મોટી તોપ રાખવામાં આવી હતી. આ કિલ્લાનું નામ શાસક સવાઈ જયસિંહ ૨ ના નામ પરથી રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે અહીં એક ખજાનો છુપાયેલો છે, પરંતુ આજ સુધી કોઈ તેના સુધી પહોંચી શક્યું નથી.

#Rajasthan #Nahargarh Fort #Amer Fort #Jaipur Forts #Jaipur city #Jaigarh Fort
Here are a few more articles:
Read the Next Article