વડોદરા : હાથીખાના બજારમાં કરિયાણાની દુકાનો ટપોટપ થઇ ગઇ બંધ, જુઓ અચાનક શું બન્યું

New Update
વડોદરા : હાથીખાના બજારમાં કરિયાણાની દુકાનો ટપોટપ થઇ ગઇ બંધ, જુઓ અચાનક શું બન્યું

વડોદરામાં પણ કોરોના હાહાકાર મચાવી રહયો છે ત્યારે સરકારે રાત્રિ કરફયુનો સમય રાતના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. કરફયુની સમયમર્યાદા વધી જતાં લોકો હાથીખાના બજારમાં ખરીદી માટે ઉમટી પડયાં હતાં.

રાજયમાં વધી રહેલા કોરોનાના કેસના પગલે લોકડાઉનના ભણકારા વાગી રહયાં છે ત્યારે લોકો જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે દોડધામ કરી રહયાં છે. વડોદરામાં લોકડાઉન કરવામાં આવે તેવી દહેશતના પગલે શહેરના સૌથી મોટા હાથીખાના બજારમાં નાના, મોટા વેપારીઓ સહિત માસિક કરિયાણું ભરતા ગ્રાહકોએ ભારે ધસારો કર્યો હતો. હાથીખાનામાં ભારે ધસારાને કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડયાં હતાં. હાથીખાના બજારમાં ભીડ ઉમટી હોવાની જાણ થતાં મહાનગર પાલિકાની ટીમ બજારમાં પહોંચી હતી. નિયમોના ભંગ બદલ એક દુકાનદારને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બજારના અન્ય વેપારીઓને જાણ થતાં તેમણે વિરોધ નોંધાવી પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. ગ્રાહકોથી ધમધમતાં હાથીખાના બજારની દુકાનોના શટરો ટપોટપ પડી ગયાં હતાં. આ ઉપરાંત વેપારીઓએ પાલિકા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.