• વસંત પંચમી પૂર્વે એમ.એસ. યુનિવર્સિટી દ્વારા આયોજન કરાયું

  • ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સયાજી લોક કલા ઉત્સવ

  • લોકકલા અને પરંપરાઓને જીવંત રાખવાની એક અનોખી ગાથા

  • લોકગીતોલોકનૃત્ય સહિત પરંપરાગત નાટ્યપ્રસ્તુતિનો સમાવેશ

  • વસંતના પવિત્ર આગમનને સંગીતનૃત્યનાટ્યએ ભવ્યતા અર્પી

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પવિત્ર વસંત પંચમીના પવિત્ર આગમન પૂર્વે સયાજી લોક કલા ઉત્સવ-2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વસંતની મસ્તીભરી પવનની લહેરેગૂંજી ઉઠેલા સૂર તાલેનૃત્યની થનઘાટ અને સુગંધિત ફૂલોની મોહક મહેક વચ્ચે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સંસ્થાના કોન્સર્ટ હોલ ખાતે સયાજી લોક કલા ઉત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનો પવિત્ર દિવસ હોવાથી લોકકલા સંગીતનૃત્ય અને નાટ્યના વિવિધ રંગો એકઠા થઈ ભાવભીની ઝલક પ્રસરાવી હતી.

આ પવિત્ર પ્રસંગે ભારત અને વિશ્વની વિવિધ લોકસંસ્કૃતિઓના શૈલીલક્ષી પ્રદર્શન થકી સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાની શ્રોતાઓને અનુભૂતિ થઈ હતીજ્યાં લોકગીતલોકનૃત્ય અને નાટ્યકલાના પ્રભાવી રજૂઆત દ્વારા સંગીતમય વાતાવરણનું નિર્માણ થયું હતું.

જેમાં ઉત્તર-પૂર્વીય ભારતના લોકગીતોબંગાળી લોકગીતોગુજરાતી લોકગીતોરાજસ્થાની લોકગીતો તેમજ લોકનૃત્ય પ્રસ્તુતિમાં કથારકગોયમકચ્છી રાસબાંગ્લાદેશી વિલેજ ફોક ડાન્સજોગવાસેગા ડાન્સ સહિત નાટ્યપ્રસ્તુતિમાં ગુજરાતની પરંપરાગત નાટ્યકલા ભવાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ મહોત્સવે સંસ્કૃતિના રંગોથી સરોબર થઈ વસંતના પવિત્ર આગમનને સંગીતનૃત્ય અને નાટ્ય દ્વારા ભવ્યતા અર્પી સયાજી લોક કલા ઉત્સવ-2025એ લોકકલા અને પરંપરાઓને જીવંત રાખવાની એક અનોખી ગાથા રચી હતી.

આ આયોજકને સફળ બનાવવા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિન પ્રો. ગૌરાંગ ભાવસારસંયોજક ડૉ. નિતિન પરમારસહ-સંયોજક જયદીપ લકુમસંકલનકર્તા જનક જસકિયાસહ-સંકલનકર્તા હેતલ આર્યાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.