વડોદરા : IOCL રિફાઈનરી કંપનીમાં આગની દુર્ઘટનામાં 2 કર્મચારીના મોત, મૃતકના સ્વજનોએ મચાવ્યો હોબાળો

IOCL રિફાઈનરીમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, આસપાસના કોયલી, રણોલી, કરચિયા સહિતના ગામોમાં સન્નાટો છવાય ગયો હતો. તો બીજી તરફ, આગની દુર્ઘટનામાં જે 2 કર્મચારીઓના મોત નિપજ્યા હતા

New Update
  • કોયલી પાસેIOCL રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટનો મામલો

  • IOCL આગની દુર્ઘટનામાં 2 કર્મચારીઓના મોત નિપજ્યા

  • દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર હેઠળ

  • મૃતકોના પરિવારજનોએ કંપની બહાર ભારે હોબાળો મચાવ્યો

  • જરૂરી કાર્યવાહીની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાય

વડોદરાના કોયલી પાસેIOCL રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ બાદ ફાટી નીકળેલી આગની દુર્ઘટનામાં 2 કર્મચારીઓના મોત નિપજ્યા હતાજ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છેત્યારે મૃતકોના પરિજનોએ કંપની બહાર ભારે આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો.

વડોદરા શહેરના કોયલી પાસે આવેલીIOCL રિફાઈનરીમાં બ્લાસ્ટ થયા બાદ લાગેલી આગની દુર્ઘટનામાં 2 કર્મચારીઓના મોત નિપજ્યા હતાજ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.IOCL રિફાઈનરીમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કેઆસપાસના કોયલીરણોલીકરચિયા સહિતના ગામોમાં સન્નાટો છવાય ગયો હતો. તો બીજી તરફઆગની દુર્ઘટનામાં જે 2 કર્મચારીઓના મોત નિપજ્યા હતા. તેમના પરિજનો રિફાઈનરીના ગેટ પર આવી પહોંચ્યા હતા અને આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો.

IOCL રિફાઈનરીમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કેકાબૂ મેળવતા 15 કલાક જેટલી જહેમત લાગી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ આજ સવારથી રિફાઈનરી રાબેતા મુજબ ચાલુ થઈ હતી. જોકેકર્મચારીઓ પણ પહોંચ્યા હતા પરંતુથોડીવારમાં જ ડરના માર્યા બહાર નીકળી ગયા હતા.

IOCL રિફાઈનરી પર મોટી સંખ્યામાં પરિવારજનો અને કંપનીના અન્ય કર્મચારીઓ એકત્ર થતા પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.IOCL રિફાઇનરીમાં આગની દુર્ઘટના અંગે તપાસ અને જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.