વડોદરામાં અમિત શાહનો મેગા શો: શાહનું રાસ ગરબા અને ફુગ્ગા છોડી સ્વાગત કરાયું

ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે હરહર મહાદેવના નાદ સાથે રોડ શો સંપન્ન થયો હતો

New Update
વડોદરામાં અમિત શાહનો મેગા શો: શાહનું રાસ ગરબા અને ફુગ્ગા છોડી સ્વાગત કરાયું

આજરોજ 27 એપ્રિલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે. તેમણે દિવસ દરમિયાન 3 સભા માટે પ્રચાર કર્યો હતો. જેમાં સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધી હતી. ત્યારબાદ મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધી હતી. આ ઉપરાંત તેમણે વડોદરા શહેરમાં રોડ શો કર્યો હતો. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કર્યો હતો.

રોડ શો ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પહોંચ્યો હતો. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે હરહર મહાદેવના નાદ સાથે રોડ શો સંપન્ન થયો હતો. સમાપન સ્થળે અમિત શાહે જય શ્રી રામના નારા લાગ્યા હતા. સમગ્ર રોડ શોના રૂટ ઉપર મોદીની ગેરંટીની સ્પીચ અને 400 પારનું ગીત ગૂંજતુ રહ્યું હતું. ગાયક કલાકારો એ ભારત કા બચ્ચા ગીતથી વાતાવરણ ગૂંજવ્યું હતું. દરમિયાન માર્ગમાં બનાવેલા સ્ટેજ ઉપર યુવતીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી

ભાજપા ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો ઉમટી પડ્યા હતા. રોડ શો રૂટ પર કેસરિયા માહોલ છવાયો હતો. જય શ્રી રામના નાદથી રોડ શોના પ્રારંભ સ્થળનો વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો દરમિયાન રોડ શો કાર્યક્રમ સ્થળે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા..

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.