એશિયાનો સૌથી ભવ્ય વિન્ટેજ કાર શો વડોદરામાં યોજાયો,75 વિન્ટેજ કારની રેલી SOU પહોચી...

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 75 જેટલી વિન્ટેજ કારની ભવ્ય રેલી કાઢવામાં આવી હતી, ત્યારે આ તમામ વિન્ટેજ કારને વડોદરા ખાતે આવતી કાલથી 3 દિવસ સુધી પ્રદર્શન ખાતે મુકવામાં આવશે.

New Update
એશિયાનો સૌથી ભવ્ય વિન્ટેજ કાર શો વડોદરામાં યોજાયો,75 વિન્ટેજ કારની રેલી SOU પહોચી...

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 75 જેટલી વિન્ટેજ કારની ભવ્ય રેલી કાઢવામાં આવી હતી, ત્યારે આ તમામ વિન્ટેજ કારને વડોદરા ખાતે આવતી કાલથી 3 દિવસ સુધી પ્રદર્શન ખાતે મુકવામાં આવશે.

21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી' એલીગન્સ 2023માં 200 વિન્ટેજ અને ક્લાસિક ભારતીય માર્ક્સ સામેલ થઈ છે. કોન્કોર્સમાં 25 આંતરરાષ્ટ્રીય કાર, 120 વેટરન બાઈક અને મહારાજા કાર્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. યુએસએ, સ્વીઝરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સની કાર પણ સ્પર્ધામાં જોડાઈ છે. આ વર્ષની નિર્ણાયક પેનલમાં 35 આંતરરાષ્ટ્રીય નિર્ણયકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે કોન્કોર્સની નવ આવૃત્તિ દિલ્હી ખાતે આયોજિત કરાઈ હતી. જે આ વર્ષે વડોદરામાં યોજાઈ છે. કોન્કોર્સમાં આવનારી તમામ ગાડીઓ પહેલીવાર જ પ્રદર્શિત થઇ છે.

કોન્કોર્સમાં 300 જેટલી ગાડીઓ સ્પર્ધામાં ઉતરશે. જેમાંથી 75 જેટલી વિન્ટેજ કારની આજરોજ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલી કાઢવામાં આવી હતી. જે બપોર બાદ વડોદરા ખાતે પરત ફરી, આવતીકાલથી 3 દિવસ પ્રદર્શન ખાતે મુકવામાં આવશે, ત્યારે શહેરીજનો પણ તા. 6થી 8 જાન્યુઆરી દરમ્યાન સવારથી સાંજ સુધી આ પ્રદર્શન નિહાળી શકે છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories