વડોદરા : કરજણના માંગરોલ ગામમાં આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનો આક્ષેપ..!

માંગરોલ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઈન, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ

New Update
વડોદરા : કરજણના માંગરોલ ગામમાં આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનો આક્ષેપ..!

પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યું કરજણ તાલુકાનું માંગરોલ ગામ

માંગરોલના આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

ગટર લાઈન, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ

સ્થાનિક રહીશોની રજૂઆત બાદ પણ આંખ આડા કાન કરતું તંત્ર

પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માંગરોલ ગામના આદિવાસી વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. રહીશોના જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યા સર્જાવા પામી છે. આ સાથે જ દુષિત પીવાનું પાણી આવતાં અનેક લોકો ઝાડા-ઉલટીના રોગના ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જોકે, દૂષિત પાણીની સમસ્યા બાબતે અનેક વાર સ્થાનિક તંત્રને આદિવાસી વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરાઇ હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક રહીશોની રજૂઆત સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના પણ આક્ષેપ થઇ રહ્યા છે. માંગરોલ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઈન, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. આદિવાસી વિસ્તાર વિકાસના કામો ઝંખી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.